AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત, હવે કોઈ સંત વિવાદીત નિવેદન નહી કરે, થયું સમાધાન!

કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતા વિવાદનો હવે અંત આવી ગયો છે, સ્વામી નારાયણ સંપ્રદાય સિવાયના સાધુઓ હવે મોરારી બાપુના સમર્થનમાં આવતા મામલો વધુ પેચીદો બની ગયો હતો, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ સાધુઓને સમાધાન કરવાના પત્રો લખવામાં આવ્યા છે, તો બીજી બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી હવે ખાતરી આપી દેવામાં આવી છે […]

મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત, હવે કોઈ સંત વિવાદીત નિવેદન નહી કરે, થયું સમાધાન!
Anil Kumar
| Edited By: | Updated on: Sep 10, 2019 | 9:02 AM
Share

કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતા વિવાદનો હવે અંત આવી ગયો છે, સ્વામી નારાયણ સંપ્રદાય સિવાયના સાધુઓ હવે મોરારી બાપુના સમર્થનમાં આવતા મામલો વધુ પેચીદો બની ગયો હતો, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ સાધુઓને સમાધાન કરવાના પત્રો લખવામાં આવ્યા છે, તો બીજી બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી હવે ખાતરી આપી દેવામાં આવી છે કે મોરારી બાપુ વિરુધ્ધ હવે કોઈ સ્વામીનારાણય સંપ્રદાયના સાધુઓ કોઈ વિવાદીત નિવેદન નહી આપે એટલે કે હવે ઘીના ઠામમાં ઘી ઠરી ગયુ છે તેમ માની શકાય છે.

એક તરફ કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે નિવેદનના પડઘા સમગ્ર દેશના સાધુ સંતો ઉપર પડયા છે. એક તરફ સ્વામીનારાયણ સંપ્રદાય સિવાયના તમામ સંતો એક થયા અને મોરારીબાપુના સમર્થનમાં ગિરનાર ભવનાથમાં બેઠક કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેની આગેવાની ઇન્દ્રભારતી બાપુએ લીધી છે, ખાખી અખાડાના સંત અખિલેશ્વર દાસ મહારાજે સ્પષ્ટપણે મોરારી બાપુના સમર્થનમાં આવ્યા છે. તેઓએ કહ્યુ છે કે મોરારી બાપુ હોય કે સ્વામીનારાયણ સંપ્રદાય તમામ સનાતન ધર્મના જ પ્રતિનિધી, ત્યારે કોઈએ આ બાબતે માફી માગવી કે માફી મંગાવવા જેવા કૃત્યો કરવા જોઇએ નહી.

સમાધાન માટે કોણ કરી રહ્યું છે મધ્યસ્થી

વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ પંથોને પત્ર લખીને મધ્યસ્થા કરવાની માગ કરાઈ છે, પત્રમાં વિવાદના કારણે હિન્દુ સંપ્રદાયની છાપ ખરડાતી હોવાની વાત કહેવામાં આવી છે, તે સિવાય રાષ્ટ્રીય સ્વય સેવક સંઘના પ્રતિનિધીઓ પણ સમાધાન માટે સંતોનો સંપર્ક કર્યો છે. ત્યારે ગુજરાત સરકારના 3 પ્રધાનોને પણ સમાધાન માટે જવાબદારી સોંપાવામાં આવી છે. સીએમ વિજય રુપાણીએ પણ આ મામલે સંતો વચ્ચે વિવાદ દુર કરવા માટે પ્રયત્નો કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જુનાગઢના મેયરે સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી આપી ખાતરી

હવે જ્યારે વિવાદ વકર્યો છે અને સમગ્ર દેશમાં સંતો સહિત કેટલાક સાહિત્યકારો પણ જ્યારે મોરારી બાપુના સમર્થનમાં આવ્યા તો સ્વામીનારાયણ સંપ્રદાય ઉપર હવે ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનોએ સમાધાન માટે અપીલ કરી છે. ત્યારે મોરારી બાપુના સમર્થનમાં આયોજિત સંત સંમેલનમાં જુનાગઢના મેયર ધીરુ ભાઇ ગોહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના રાજદુત બનીને ગયા.

જ્યાં તેઓએ ખાતરી આપી છે કે હવે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ કે સતસંગી મોરારીબાપુના વિરોધમાં નિવેદનો નહી આપે, મોરારીબાપુએ જે માફી પહેલા માંગી છે, તેને સ્વીકાર કરી લેવામાં આવી છે, જેથી હવે ઈન્દ્ર ભારતી બાપુએ પણ સમાધાનકારી સંકેતો આપ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું હતો સમગ્ર મામલો

કથાકાર મોરારીબાપુએ પોતાના એક કાર્યક્રમમા નિલકંઠ એટલે મહાદેવ જ થાય છે, બીજા દેવ નિલંકઠ ન હોઈ શકે તેમ કહેતા વિવાદ સર્જાયો હતો કારણ કે સ્વામીનારાયણ સંપ્રદાયે તેને પોતાનું અપમાન ગણાવીને માફી માંગવાની વાત કહી, મોરારી બાપુએ 2-2 વખત માંફી માંગી છતાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ સ્પષ્ટ પણે માફી માંગવાની જીદ પકડી હતી. પરિણામે મોરારીબાપુના સમર્થનમાં અન્ય સાધુઓ આવતા વિવાદ વધુ વર્કયો હતો,જેના પડઘા દેશ વિદેશમાં પડ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">