સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર, રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં કોરોના વિસ્ફોટ
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં 220 નવા કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ રાજકોટમાં નવા 92 કેસ નોંધાયા છે જ્યારે 3 કોરોના દર્દીના મોત થયા છે. જ્યારે રાજકોટમાં ગઇકાલે કોરોનાથી 8 મોત થયા હતા અન્ય જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 45, જૂનાગઢમાં 19, જામનગરમાં […]
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં 220 નવા કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ રાજકોટમાં નવા 92 કેસ નોંધાયા છે જ્યારે 3 કોરોના દર્દીના મોત થયા છે. જ્યારે રાજકોટમાં ગઇકાલે કોરોનાથી 8 મોત થયા હતા અન્ય જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 45, જૂનાગઢમાં 19, જામનગરમાં 22 નવા કેસ નોંધાયા છે. આ સિવાય મોરબીમાં 12, અમરેલીમાં 11, દેવભૂમિદ્રારકામાં 3, ગીર સોમનાથમાં 6 નવા કેસ નોંધાયા હતા જ્યારે બોટાદમાં નવા 3 અને ભાવનગરમાં નવા 7 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો