Sabarkantha: જિલ્લામાં મનરેગા યોજના હેઠળના શ્રમિકોની રોજગારીના પૈસા નહી ચુકવતા ધારાસભ્યે ધરણાં યોજતા અટકાયત

જિલ્લામાં 3 માસ થી મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને રોજગારીની રકમ ચુકવાઇ નહી હોવાને લઇને ખેડબ્રહ્માના ધારાસભ્ય ( MLA Khedbrahma) એ ધરણાં ધર્યા હતા.

Sabarkantha: જિલ્લામાં મનરેગા યોજના હેઠળના શ્રમિકોની રોજગારીના પૈસા નહી ચુકવતા ધારાસભ્યે ધરણાં યોજતા અટકાયત
MLA Ashwin Kotwal એ કલેકટર કટેરી આગળ ધરણાં ધરતા પોલીસે અટકાયત કરી હતી.
Follow Us:
| Updated on: Feb 10, 2022 | 11:58 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં મનરેગા યોજના (MGNREGA Yojana) હેઠળ કામ કરતા શ્રમિકોને મહેનતાણાની રકમ ચુકવાઇ નથી. જેને લઇને મનરેગા યોજનામાં કામ કરતા બેરોજગારોને રોજગારી મળવાની આશાઓને ધક્કો પહોંચ્યો છે. છેલ્લા ત્રણેક માસ થી મનરેગા હેઠળના શ્રમિકોને તેમના શ્રમ વળતર ચુકવાયા નથી. આ અંગે ખેડબ્રહ્મા વિધાનસભા ના ધારાસભ્ય અશ્વિન કોટવાલે (MLA Ashwin Kotwal) જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ અને જે અંગે તેઓએ રોજગારી ચુકવી આપવા માટે માંગ કરી હતી. તેમના દ્વારા આ માટે 10 દિવસનુ અલ્ટીમેટમ પણ આપ્યુ હતુ કે, જો મનરેગાના નાણાં નહી ચુકવાય તો કલેકટર કચેરી આગળ ધરણાં ધરવામાં આવશે.

જોકે 9મી ફેબ્રુઆરીની સાંજે અલ્ટીમેટમ પુર્ણ થવા સુધી વળતર નહી ચુકવાતા અંતે ધરણાં પર બેસ્યા હતા. ગુરુવારે એટલે કે 10 ફેબ્રુઆરીએ જિલ્લા કલેકટર કચેરી સમક્ષ તેઓએ ધરણાં ધર્યા હતા. જોકે બાદમાં સ્થાનિક પોલીસે તેમની મંજૂરીના મુદ્દે ધરણાં સ્થળ પર થી અટકાયત કરીને બી ડિવીઝન પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં તેમની સાથે અન્ય દેખાવકારોની પણ અટકાયત કરાઇ હતી. પોલીસે તેમને કેટલોક સમય પોલીસ મથકમાં બેસાડી રાખ્યા બાદ મુક્ત કર્યા હતા.

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યુ હતુ, આ અંગે અમે આવેદન પત્ર આપ્યુ હતુ અને રોજગારીના પૈસા ચુકવી આપવા માટે માંગ કરી હતી. પરંતુ આમ છતાં પણ પૈસા ચુકવવામાં આવ્યા નહોતા. હાલની સ્થિતીમાં પૈસાની સમસ્યામાં લોકોને સમસ્યા છે ત્યાં તેમની મહેનતની રકમ ચુકવાઇ નથી.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પોશીનામાં 1500 શ્રમિકોનુ વેતન બાકી

જિલ્લામાં તલોદ, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 2500 શ્રમિકો અને પોશીના તાલુકાના 1500 શ્રમિકોની રોજગારી બાકી છે. આમ હાલના આર્થિક સંકડામણના કપરા કાળ દરમિયાન જ રોજગારીનુ વળતર બાકી છે. આમ વળતર વિના શ્રમિકોને પણ આર્થિક સમસ્યા વધુ ઘેરી બની છે. તો વળી આ દરમિયાન શ્રમિકો અન્ય સ્થળે પણ અન્ય કામ કરીને પણ આર્થિક મહેનતાણુ મેળવવા રોજગારી મેળવી શક્યા નથી.

આ પણ વાંચોઃ IPL 2022: રોહિત શર્માની આઇપીએ સેલરીમાં બંપર જમ્પ, જાણો પ્રથમ સેલરી કેટલા રુપિયા મેળવતો હતો

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ધોની, કોહલી કે રોહિત નહી, 2008 માં સૌ પ્રથમ આ ખેલાડી પર બોલાઇ હતી બોલી, જાણો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">