AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: સાબરકાંઠામાં શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના, આચાર્યએ સગિરા સાથે અડપલા કર્યા!

પોશીના તાલુકાના સાધુ ફળો પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સગીરાને શારીરીક અડપલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. સગીરાએ ઘરે પોતાના પરિવારને હેવાન શિક્ષકની હરકતોની જાણ કરતા પરિવારજો અને ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા.

Sabarkantha: સાબરકાંઠામાં શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના, આચાર્યએ સગિરા સાથે અડપલા કર્યા!
આચાર્યએ સગિરા સાથે અડપલા કર્યા!
Follow Us:
| Updated on: Aug 16, 2023 | 11:04 PM

હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે સગીરાઓની સાથે શારીરીક અડપલાઓ કર્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ હવે પોશીના તાલુકામાં આવી જ ઘટના સામે આવી છે. પોશીના તાલુકાના સાધુ ફળો પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સગીરાને શારીરીક અડપલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. સગીરાએ ઘરે પોતાના પરિવારને હેવાન શિક્ષકની હરકતોની જાણ કરતા પરિવારજો અને ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા.

ઘટના અંગે હવે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહીની તપાસ શરુ કરી છે. પોશીના તાલુકાની આ ઘટનાએ શિક્ષણ જગતને કલંકીત કરી મુકનારી છે. જેની પર પિતા સમાન ભરોસો છે, એ જ ગુરુએ ભરોસો તોડી દીધો છે. પોશીના પોલીસે હવે ઘટના અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બીજી તરફ શિક્ષક ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે.

બે દિવસ અગાઉ બની હતી ઘટના

પોશીના તાલુકાના સેબલિયા વિસ્તારની સાધુ ફળો પ્રાથમિક શાળામાં બે દિવસ પહેલા સાંજના સમયે આ ઘટના ઘટી હતી. શાળાના આચાર્યએ સગીરાને બાથમાં લઈને શારીરિક અડપલા કર્યા હતા અને જેને લઈ હેવાન ગુરુની બાહુપાશમાંથી છુટવા માટે સગીરાએ બુમાબુમ કરી હતી. સગીરાએ ઘટના અંગે પોતાના પરિવારને જાણ કરતા મામલો પોશીના પોલીસ સ્ટેશન મથક પહોંચ્યો હતો. સગીરાના પિતાએ આચાર્ય સામે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોધાવી છે.

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

કોટડાગઢીમાં રહેતો શાળાનો આચાર્ય પરિમલ જગજીવન ખરાડીએ 14 ઓગસ્ટે સાંજના સમયે શાળામાં હતો. વિસ્તારની એક સગીરાની સાથે અડપલા કર્યા હતા. માતા ઘરે ના હોઈ અને પિતા ઉપરના માળે કામ કરતા હોવાના લઈ એકલતાનો લાભ લઈ આચાર્ય પરિમલ ખરાડીએ સગીરાને અડપલા કરવા પ્રયાસ કર્યો હતો.

ચોકલેટની લાલચ આપીને બળજબરી

સગીરાને શાળાના રુમમાં ખેંચી જવા માટે પ્રયાસ કરતા આચાર્ય પરિમલે ચોકલેટની લાલચ આપી હતી. આ દરમિયાન તેણે સગીરાને બાથમાં પકડીને શારીરિક અડપલા કર્યા હતા. આમ આચાર્યથી બચવા માટે સગીરાએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી તેણે સગીરાને છોડી મુકી હતી. બીજી તરફ પુત્રીના અવાજથી દોડી આવેલ પિતાએ પુત્રીને હેવાનથી બચાવી હતી. સગીરાએ ઘરે પહોંચીને વિગતે આચાર્યની હરકત અંગે જાણ કરી હતી.

આચાર્ય પરિમલ ખરાડીએ આબરુ નહીં કાઢવા માટે જણાવીને 10 હજાર રુપિયા આપવાની વાત કરી હતી. જોકે સગિરાના પિતાએ કાર્યવાહી કરવાનુ કહેતા જ આચાર્ય શાળાએથી ભાગી ગયો હતો. વાત ગામમાં પ્રસરતા જ ગામના લોકો પણ શાળાએ એકઠા થયા હતા અને મામલાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાઘપુર ગામના પરિમલ જગજીવન ખરાડી સામે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર શહેરમાં એક સપ્તાહથી દીપડાનો ભય, પોલીસ હેડક્વાર્ટર અને ક્લેકટર નિવાસ નજીક ચહલપહલ!

સાબરકાંઠા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">