Monsoon 2023: હરણાવ ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યો, 17 ગામને એલર્ટ કરાયા

Harnav Dam Warning Stage: હરણાવ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. હરણાવ નદીમાં સોમવારે એક જ દિવસમાં પાંચ ટકા જળસંગ્રહનો વધારો થયો છે. પાણીની આવક વધવાને લઈ હવે જળ સપાટી વોર્નિગ સ્ટેજ કરતા વધારે થતા જ ખેડબ્રહ્મા તાલુકાના નિચાણવાળા નદી કાંઠા વિસ્તારને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. ઉપરવાસમાં વરસાદની સંભાવનાઓ જોતા નદીમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેત રહેવા માટે તાકીદ કરાઈ છે.

Monsoon 2023: હરણાવ ડેમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યો, 17 ગામને એલર્ટ કરાયા
17 ગામને એલર્ટ કરાયા
Follow Us:
| Updated on: Sep 18, 2023 | 8:24 PM

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 72 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા ઉપરાંત ઉપરવાસ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેતા સ્થાનિક નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. સિંચાઈ માટે જળાશયોમાં પાણીને લઈ ચિંતા સતાવી રહી હતી. પરંતુ હાલમાં વરસાદના નવા રાઉન્ડને લઈ નવી આવક જળાશય-ડેમમાં થવા લાગી છે. હરણાવ સ્ટેજ-2 ડેમને લઈ વોર્નિંગ એલર્ટ અપાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: બાયડમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે ભરાયેલા પાણીની સ્થિતિ યથાવત્, જુઓ Drone video

હરણાવ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. હરણાવ નદીમાં સોમવારે એક જ દિવસમાં પાંચ ટકા જળસંગ્રહનો વધારો થયો છે. પાણીની આવક વધવાને લઈ હવે જળ સપાટી વોર્નિગ સ્ટેજ કરતા વધારે થતા જ ખેડબ્રહ્મા તાલુકાના નિચાણવાળા નદી કાંઠા વિસ્તારને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે. ઉપરવાસમાં વરસાદની સંભાવનાઓ જોતા નદીમાં પાણી છોડવાની સ્થિતિ ઉભી થવાની શક્યતાને ધ્યાને રાખી સાવચેત રહેવા માટે તાકીદ કરાઈ છે.

પાંચ ટકા જળ જથ્થો વધ્યો

ઉપરવાસ વિસ્તારમાં વરસાદને લઈ આજે સોમવારે હરણાવ નદીમાં નોંધપાત્ર આવક નોંધાઈ હતી. જેને લઈ હરણાવ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. સવારે 7 કલાકે હરણાવ ડેમમાં જળસંગ્રહ 77.70 ટકા જેટલો હતો. જે સાંજે 7 કલાકે વધીને 83.76 ટકાએ પહોંચ્યો હતો. આમ દિવસ દરમિયાન વરસાદી પાણીની આવક થવાને લઈ ડેમમાં પાંચ ટકા જળ જથ્થો વધ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ડેમની મહત્તમ જળસપાટી હાલમાં દોઢેક મીટર જેટલી દુર છે, પરંતુ જે રીતે હાલમાં વરસાદી માહોલ જામ્યો છે, તેને લઈ વરસાદની આગાહી મુજબ વધારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની સ્થિતિમાં ઉપરવાસમાંથી નદીમાં પાણીનો જથ્થો વધતા નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. આમ વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યા બાદ વિસ્તારના કાંઠા અને નિચાણવાળા એરિયાને સાવચેત કરવામાં આવ્યા છે. હરણાવ નદીમાં પાણી હાલ પણ વહેવાને લઈ કેટલાક ડીપ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નિચેનો બેઠો પુલ પણ હાલમાં બંધ કરી દઈ સાવચેતીના પગલા ધરવામાં આવ્યા છે.

ખેડબ્રહ્માના 17 ગામને સાવચેત કરાયા

ગમે ત્યારે હરણાવ ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે એમ હોવાની સંભાવનાને લઈ નિચાણ વાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલ, વાસણા, ગલોડીયા, જગમેર, પાદરડી, રુદ્રમાળા, દેરોલ, પરોયા, જગન્નાથપુરા, વાઘેશ્વરી, કલોલ, સીલવાડ, વાલરણ, લક્ષ્મીપુરા, નાકા અને પઢારા સહિત ખેડબ્રહ્મા શહેરના નિચાણ વાળા વિસ્તારને સાવચેત કરાયા છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">