VIDEO: સરકારની 700 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત ખેડૂતોને કેવી લાગી?

સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ નુકશાની વેઠવી પડી હતી અને જેને લઈને ખેડૂતોએ પોતાના નુકશાનના વળતર માટે આખરે સરકારી સહાય પર આશ લગાવી હતી. સરકારે જે રીતે ઝડપી સરવે કરવાતા આખરે હવે ખેડૂતોને પણ હાશકારો કેટલાક અંશે પહોંચ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ અંદાજે 4,300 હેકટર જમીન વિસ્તારમાં ખેતીને નુકશાન થયાનો અંદાજ માનવામાં આવ્યો […]

VIDEO: સરકારની 700 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત ખેડૂતોને કેવી લાગી?
Follow Us:
| Updated on: Nov 14, 2019 | 4:53 AM

સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ નુકશાની વેઠવી પડી હતી અને જેને લઈને ખેડૂતોએ પોતાના નુકશાનના વળતર માટે આખરે સરકારી સહાય પર આશ લગાવી હતી. સરકારે જે રીતે ઝડપી સરવે કરવાતા આખરે હવે ખેડૂતોને પણ હાશકારો કેટલાક અંશે પહોંચ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ અંદાજે 4,300 હેકટર જમીન વિસ્તારમાં ખેતીને નુકશાન થયાનો અંદાજ માનવામાં આવ્યો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સાબરકાંઠા જિલ્લામાં પણ રાજ્યના અન્ય વિસ્તારોની માફક જ કમોસમી વરસાદે ખેડૂતોને પરેશાન કરી મુક્યા હતાં. ડાંગર અને શાકભાજી જેવા પાકોને પણ ઓછા વતા પ્રમાણમાં નુકશાન થયું હતુ તો મગફળી અને સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન ખેતીમાં જોવા મળ્યુ હતુ. ખેડૂતોએ પાકનું ઉત્પાદન લણવાના સમય દરમ્યાન જ ખેતીમાં કમોસમી વરસાદ જાણે કે આફત બનીને વરસતા ખેડૂતોને સિઝન દરમ્યાન વહાવેલો પરસેવો પળવારમાં જ ધોવાણ થઈ જવાનો અહેસાસ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે રાજ્ય સરકાર દ્વારા પણ નુકસાનની રજુઆતો બાદ આખરે ત્વરીત સર્વેની કામગીરી હાથ ધરવાની પ્રક્રિયા કરાવતા ખેડૂતોને આશા જાગી હતી કે નુકસાનનું વળતર હવે સરકારી સહાયરુપે મળશે અને જેને લઈને સર્વે કામગીરી શરુ થઈ ત્યારથી ખેડૂતો વળતર માટે સરકાર સામે મીટ માંડીને બેઠા હતા. પરંતુ જ્યારે આજે રાજ્ય સરકારે સહાયને લઈને જાહેરાત કરતા ખેડુતોને પણ એક રીતે સંતોષજનક હાલ તો જાહેરાત લાગી રહી છે. સરકારે સમયસર સર્વે કરાવ્યો એ જ ખેડૂતોને માટે આનંદ વર્તાઈ રહ્યો હોય એમ લાગે છે. જો કે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને સર્વે માટે જ કોઈ ફરક્યુ નહીં હોવાના પણ આક્ષેપો સર્વે દરમ્યાનથી ઉઠી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ખેડબ્રહ્મા વિસ્તારમાં 2.5 થી 3 ઈંચ વરસાદ ‘મહા’ વાવાઝોડાની અસર દરમ્યાનના માહોલ વેળાએ ખાબક્યો હતો. જેને લઈને વિસ્તારમાં ખાસ કરીને વ્યાપક નુકશાન થયું હતુ અને સૌથી વધુ રજુઆતો પણ ખેડબ્રહ્મા અને વડાલી વિસ્તારમાંથી સામે આવી હતી. આ ઉપરાંત જિલ્લામાંથી પણ 1,858 જેટલી ખેતી વાડી વિભાગ પાસે વળતરની અરજીઓ સામે આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જિલ્લામાં 10 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે પુર્ણ કર્યા બાદ રાજ્યના ખેતીવાડી વિભાગને અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો. જે મુજબ 4,300 હેકટર વિસ્તારમાં ખેતીના પાકમાં નુકસાન થયાનો અંદાજ સામે આવ્યો હતો. જેમાં સૌથી વધુ મગફળીના પાકમાં નુકસાન સામે આવ્યુ હતુ. આ ઉપરાંત કપાસ, અડદ અને સોયાબીન જેવા પાકોમાં પણ નુકસાન સામે આવ્યુ હતુ.

Latest News Updates

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
g clip-path="url(#clip0_868_265)">