Russia Ukraine War: યુક્રેન ફસાયેલા રાજકોટના બે વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા,હજુ 13 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા
રાજકોટ જિલ્લાના વધુ બે વિધાર્થીઓ આજે વતન પરત આવ્યા હતા જો કે હજુ પણ 13 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે પરંતુ તમામ વિધાર્થીઓ સુરક્ષિત હોવાનો જિલ્લા વહીવટી વિભાગે દાવો કર્યો છે.આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલની બંસી રામાણી તથા દેવાંશી દાફડા આજે તેમના ઘરે પહોંચ્યા હતા.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા રાજકોટ(Rajkot) જિલ્લાના નાગરિકોની વતન વાપસી માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે રહીને શક્ય તમામ પ્રયત્નો કેન્દ્ર સરકારના સહયોગથી કરી રહ્યું છે.રાજકોટ જિલ્લાના વધુ બે વિધાર્થીઓ આજે વતન પરત આવ્યા હતા જો કે હજુ પણ 13 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે પરંતુ તમામ વિધાર્થીઓ સુરક્ષિત હોવાનો જિલ્લા વહીવટી વિભાગે દાવો કર્યો છે.આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ગોંડલની બંસી રામાણી તથા દેવાંશી દાફડા આજે તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યારે રાજકોટની જૈમીની વાઢેર ખોખડદડના ઉદય ખૂટ, રાણીપુર-નવાગામ ના ભાર્ગવ રંક અને શિવમ રંક, રાજકોટના અરાકાન ખતૂમ્બરા તથા હિમાંશુ કોટડીયા રોમાનીયા એરપોર્ટ પર પહોંચી ગયા છે, અને તેઓને સહી સલામત રીતે કેન્દ્ર સરકાર દ્વારા તેમના વતન મોકલવાની તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
રવિવારે વિધાર્થીઓની પ્રથમ બેચ પરત આવી
જ્યારે જસદણના રવિ રામાણી, ચિરાગ પટેલ, ઉપેન્દ્ર ઉપાધ્યાય, હાર્દિક વાજા, વિછીયાના દર્શન ઉમરાણીયા તથા હર્ષ સોની અને અનિશા સંધિ બોર્ડર ઉપર છે, જે ટૂંક સમયમાં જ રોમાનિયા પહોંચવાની શક્યતા છે.પ્રથમ બેચમાં રાજકોટ પરત ફરેલા વિદ્યાર્થીઓમાં ઓમ સંજીવ જાની, ક્રિસાંગ વિશ્વેશ મહેતા, જેન્સી સંજયકુમાર ભેટારીયા, ભવ્ય વિપુલભાઈ ચગ, ધારા વોરા(ગોંડલ) તેમજ હેપી ભલાણી રાજકોટ આવી પહોંચ્યા છે, જયારે દામિની રાઠોડ તેમના વતન જસદણ પહોંચી ગયેલ છે.વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સુખરૂપ ભારત વતન પરત ફરવા બદલ ભારત સરકાર અને તમામ પ્રશાસનનો આભાર માન્યો હતો.બાળકો જ્યારે પરત આવ્યા હતા ત્યારે હ્રદયસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગુજરાતના 584 જેટલા લોકો યુક્રેનમાં ફસાયેલા
ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયેલા છે.આ યુવાઓને તેમના વતન ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી જયશંકરજી અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે.
આ પણ વાંચો : Ahmedabad : સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઉત્તમ પ્રાદેશિક એરપોર્ટનો એવોર્ડ એનાયત
આ પણ વાંચો : Junagadh : ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવાયજ્ઞ, ભોજન અને રહેવાની વિના મૂલ્યે વ્યવસ્થા