VIDEO: મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત
મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત કરી છે. જેમાં મૌન રેલીનું આયોજન કરનારા પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાલા, નેતા બાબુ પઠાણ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ તકેદારીના ભાગરૂપે પોલીસે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ પણ વાંચોઃ BUDGET-2019: દેશમાં રજૂ થયેલા […]
મોબ લિંચિંગના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં 20થી વધુ લોકોની અટકાત કરી છે. જેમાં મૌન રેલીનું આયોજન કરનારા પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાલા, નેતા બાબુ પઠાણ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ તકેદારીના ભાગરૂપે પોલીસે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
આ પણ વાંચોઃ BUDGET-2019: દેશમાં રજૂ થયેલા અત્યાર સુધીના બજેટની અવનવી વાતો જાણો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દેશમાં વધી રહેલી મોબલિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત ખ્વાજા દાના દરગાહથી કલેકટર કચેરી, અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં રેલી ત્યાંથી આગળ વધવા માંગતી હતી. જેથી કાદરશાની નાળ પાસે પોલીસ અને રેલીમાં આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસ પર ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ-બચાવમાં ટીયરગેસના સેલ છોડતા ટોળું વિખેરાયું હતું. તોફાની ટોળાએ પોલીસની પીસીઆર વાન અને 3થી 4 સિટી બસમાં તોડફોડ કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
નાનપુરાથી લઈને કાદરશાની નાળ સહિતના આસપાસના વિસ્તારોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. પોલીસ પર હુમલાને લઈને સમગ્ર હિલચાલ પર પુરતી નજર રાખવામાં આવી રહી છે.સાથે જ પોલીસ દ્વારા ટોળા સામે ગુનો નોંધવાની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
[yop_poll id=”1″]
સમગ્ર શહેરની પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની આ ઘટનાના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા પ્રયાસો કર્યા છે. હાલ સમગ્ર પરિસ્થિતી કાબૂમાં છે.