World Blood Donor Day: ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાનમાં રાજકોટ શહેરે મારી બાજી, જાણો રક્તદાન કરવાના ફાયદા

World Blood Donor Day : ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે રાજકોટ (Rajkot) હંમેશા આગળ રહે છે, કોરોના કાળમાં  રક્તની સૌથી વધુ જરૂરિયાત હતી,  ત્યારે  સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો એવોર્ડ રાજકોટને મળ્યો છે.

World Blood Donor Day: ગુજરાતમાં સ્વૈચ્છિક રક્તદાનમાં રાજકોટ શહેરે મારી બાજી, જાણો રક્તદાન કરવાના ફાયદા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 14, 2021 | 4:31 PM

World Blood Donor Day: દર વર્ષે 14 જૂનના દિવસને “વિશ્વ રક્તદાતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (World Health Organization) લોકોને રક્ત આપીને નવું જીવનદાન આપતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે 2004થી આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.

વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે રાજકોટ (Rajkot) હંમેશા આગળ રહે છે, કોરોના કાળમાં  રક્તની સૌથી વધુ જરૂરિયાત હતી,  ત્યારે  સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો એવોર્ડ રાજકોટને મળ્યો છે.

સામાન્ય રીતે બ્લડ ગ્રુપનાં(Blood group) શોધક કાર્લ લેન્ડસ્ટીનરનો(Karl lend Stiner) જન્મદિવસ 14 જુને હોવાથી આ દિવસને “વિશ્વ રક્તદાતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે “Give blood and keep the world beating” એટલે કે, ‘રક્તદાન કરો અને દુનિયાને ધબકતી રાખો’.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક અંદાજ મુજબ,  ભારતમાં દર વર્ષે આશરે પાંચ કરોડ જેટલી લોહીની બોટલની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળે છે.  મુખ્યત્વે,  થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓને સૌથી વધારે રક્તની જરૂર પડતી હોય છે.

સૌથી વધારે સ્વૈચ્છિક રક્તદાન રાજકોટ શહેરમાં

રાજકોટ સિવિલની બ્લડ બેન્કમાં(Blood Bank)  હાલ અંદાજીત 500 થી 800 જેટલા બ્લડ યુનિટ ઉપલબ્ધ છે અને કોઈ પણ બ્લડ ગ્રુપના દર્દીને અહિંથી રક્ત મળી રહે છે.  ઉપરાંત રાજકોટમાં મોબાઈલ બ્લડ બેન્ક વાનની વાત કરીએ,  તો તેમાં એક સાથે ત્રણ ડોનર રક્ત  ડોનેટ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે.  કોરોના કાળમાં જ્યારે રક્તની સૌથી વધુ જરૂરિયાત હતી ત્યારે સ્વૈચ્છિક રક્તદાન માટે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો એવોર્ડ રાજકોટને મળ્યો છે.

ગયા વર્ષે 163 જેટલી રક્તદાન શિબિરમાં(Blood donation camp) બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.  જેમાં 50% રક્તદાન માત્ર મોબાઈલ વાન દ્વારા જ એકઠું કરવામાં આવ્યું હતું.  હાલ,  રાજકોટમાં દર મહિને પંદર જેટલા બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

રક્તદાનનાં ફાયદા

નિષ્ણાંત ડો.સંદીપ જેસલનું કહેવું છે કે  ” જોખમી પરિસ્થિતિઓથી પીડાતા દર્દીઓને રક્તદાન દ્વારા બચાવી શકાય છે. પરંતુ, એ પણ જાણવું જોઇએ કે રક્તદાન કરવાથી દાતાનાં સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.”

1)સમયસર રક્તદાન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને તંદુરસ્તીમાં પણ સુધારો લાવે છે.

2) રક્તદાન કરવાથી હિમોક્રોમેટોસિસ(Hemochromatosis) નું જોખમ ઓછું થઈ શકે છે, ઉપરાંત શરીર દ્વારા  આયર્નનું વધુ પડતું શોષણ થવાને કારણે હિમોક્રોમેટોસિસના વિકાસને અટકાવી શકાય છે.

3)નિયમિત રક્તદાન કરવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.

4)રક્તદાનથી આયર્ન સ્તર જળવાઈ રહેતું હોવાથી, કેન્સર (Cancer) થવાનું જોખમ ઓછું રહે છે.

5) રક્તદાન કરવાથી નવા રક્તકણોના (Blood cell)ઉત્પાદનમાં વધારો થાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">