ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

આ મહોત્સવ હવે વર્ચ્યુઅલ યોજાવાનો છે ત્યારે લોકો હવે પોતાના ઘરે જ ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે. લોકો પોતાના ઘરની બહાર રંગોળીઓ કરીને સુશોભન કરી રહ્યા છે.

ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે
Khodaldham Temple (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:39 AM

મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર (Patidar) સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ (Khodaldham) કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022 એટલે કે આજે 5 વર્ષ પુરા થઇ રહ્યા છે. લાખો લેઉવા પાટીદાર સમાજના લોકો આ પંચવર્ષિય મહોત્સવના સાક્ષી બનવા જઇ રહ્યા હતા. જોકે કોરોનાાની મહામારીને કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ (Virtual Patotsav) યોજાશે. જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજ વિવિધ માધ્યમોથી જોડાશે.

લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરશે. આ ઉપરાંત ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પણ લાઇવ રહેશે. મહોત્સવને લઇને લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ છે જેથી સમાજના લોકો દ્વારા ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રીન મુકીને આ મહોત્વના સાક્ષી બનશે.

મહાયજ્ઞ, ધ્વજારોહણ અને માતાજીની આરતી થશે

કોરોના (corona)ને કારણે રાજ્ય સરકારની એસઓપી સાથે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.નવી ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર સાથે હવે સવારે 6થી 9 વાગ્યા સુધી મહાયગ્નનું આયોજન થશે, ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને પછી ધ્વજારોહણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કર્યું છે. બાકીના લોકોને વર્ચ્યુઅલ જોડાવા વિનંતી કરી છે. આ કાર્યક્રમ બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સમાજ જોગ સંદેશો આપશે અને અંતે રાષ્ટ્રગાન થશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ મહોત્સવ હવે વર્ચ્યુઅલ યોજાવાનો છે, ત્યારે લોકો હવે પોતાના ઘરે જ ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે. લોકો પોતાના ઘરની બહાર રંગોળીઓ કરીને સુશોભન કરી રહ્યા છે. મહત્વનું છે કે આસ્થાનું પ્રતીક ખોડલધામ સૌરાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું તીર્થસ્થળ છે અને ખોડલધામ લેઉવા પટેલનું આત્મગૌરવનું પ્રતીક છે. આ મંદિરના નિર્માણ માટે બે લાખ ઘનફૂટ પથ્થરો ખરીદાયા હતા અને પિલર, છત, 600થી વધુ મૂર્તિઓની કોતરણી કરાઈ હતી.

દિવાલો પર રામાયણ, મહાભારત,ગીતાના પ્રસંગો આલેખવામાં આવ્યા છે. ખોડલધામ મંદિરમાં કુલ 238 પિલર છે. ખોડલધામ મંદિરની પહોળાઈ 252.5 ફૂટ છે. 298 ફૂટની લંબાઈ સાથે 159 ફૂટ મંદિરની ઉંચાઈ છે. ખોડલધામ મંદિરમાં મા ખોડલની 21 મૂર્તિ સ્થાપિત છે અને જયપુરમાં મા ખોડલની મૂર્તિઓનું નિર્માણ થયુ છે.

આ પણ વાંચો- સોમનાથ : PM MODI 21 જાન્યુઆરીએ નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે, પૂર્વ સંધ્યાએ સમુદ્ર આરતી સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા

આ પણ વાંચો-અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">