રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મેટલના ભાવ વધ્યા, રાજકોટના એન્જિનિયરિંગ એકમોએ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કર્યો

કારખાનેદારોના મતે, ભારતીય ધાતુ ઉત્પાદક કંપનીઓ યુદ્ધને કારણે નિકાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં તેમને સારી કિંમત મળી રહી છે અને તેના કારણે સ્થાનિક ઉદ્યોગોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મેટલના ભાવ વધ્યા, રાજકોટના એન્જિનિયરિંગ એકમોએ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો કર્યો
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:46 AM

રાજકોટ (Rajkot) ના એન્જિનિયરિંગ એકમો (engineering units) એ ધાતુના વધતા ભાવ અને કાચા માલના ભાવમાં અનિશ્ચિતતાને જોતા 1 એપ્રિલથી તેમના ઉત્પાદન (production) માં 50 ટકાનો ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. કારખાનાદારો (Manufacturer) કહે છે કે જો તેઓ આ સ્થિતિમાં ઉત્પાદન ચાલુ રાખશે તો તેમને ભારે નુકસાન થશે. કાસ્ટિંગ, ફોર્જિંગ અને ફાઉન્ડ્રી એકમોમાં વપરાતી મુખ્ય ધાતુઓ પિગ આયર્ન, કોપર અને સ્ટીલ સહિતની તમામ ધાતુઓ (Metals) ની કિંમતો રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) ફાટી નીકળ્યા પછી અનિશ્ચિત બની ગઈ છે અને યુદ્ધને કારણે તે લગભગ દરરોજ વધઘટ કરે છે. આવી સ્થિતિમાં એકમો પર અસર પડવાનું શરૂ થયું હતું.

કારખાનેદારોના મતે, ભારતીય ધાતુ ઉત્પાદક કંપનીઓ યુદ્ધને કારણે નિકાસ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં તેમને સારી કિંમત મળી રહી છે અને તેના કારણે સ્થાનિક ઉદ્યોગોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. મેટલ કંપનીઓ હવે એવું પણ ઇચ્છે છે કે સ્થાનિક ઉદ્યોગ તે કિંમત ચૂકવે જે ઓર્ડરના દિવસે નહીં પણ ડિસ્પેચના દિવસે હોય. જ્યાં સુધી ઉદ્યોગો આ માંગ સાથે સંમત નહીં થાય ત્યાં સુધી તેઓએ ધાતુના પરિવહન પર રોક લગાવી દીધી છે.

રાજકોટ એન્જીનિયરિંગ એસોસીએશને જણાવ્યું હતું કે: “સ્ટીલના ભાવ દર ત્રિમાસિક ગાળામાં બદલાતા હતા, પરંતુ હવે ભાવ દરરોજ બદલાય છે. ગ્રાહકો આ અતિશય કિંમત ચૂકવવા માટે તૈયાર નથી અને અમે ધાતુના દૈનિક ભાવને જોતા હવે કેટલા ભાવે ઓર્ડર સ્વીકારવા તે નક્કી કરી શકતા નથી. જેના કારણે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગમાં હાલમાં 50 ટકા ઉત્પાદન ઓછું કરી દેવાયું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઑક્ટોબર 2020 માં સ્ટીલની કિંમત 174 રૂપિયા પ્રતિ કિલો હતી જે હવે 300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2021માં પિગ આયર્નની કિંમત 48,000 રૂપિયા પ્રતિ ટન હતી પરંતુ હવે તે 75,000 રૂપિયા પ્રતિ ટન છે. પિગ આયર્નના ઉત્પાદન અને પીગળવામાં ઉપયોગમાં લેવાતા કોલસાની કિંમત પણ વધી રહી છે અને તેના કારણે એકંદર ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. જો ધાતુના ભાવ આજ રીતે વધતા રહેશે તો નાના કારખાનાદારોએ તેમના ધંધા બંધ કરવા પડશે. અત્યારે જે ભાવ છે તેમાં પણ ધંધો ટકાવી શકાય તેમ નથી તેથી કારખાનાદારો ઇચ્છે છે કે સ્થાનિક ઉદ્યોગ, ખાસ કરીને MSME ને પ્રોત્સાહન આપવા માટે સરકાર મેટલની નિકાસ પર પ્રતિબંધ મૂકે.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સાથેની ખાસ મુલાકાત, જુઓ 10:30 વાગ્યે TV9 ગુજરાતી ચેનલ પર…

આ પણ વાંચોઃ Valsad: વાપીના વ્યક્તિએ 5 લોકોને નવું જીવન આપીને દુનિયામાંથી વિદાય લીધી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">