AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : હવે કેનેડા-ઓસ્ટ્રેલિયાની એર ઇન્ડિયાની ફલાઇટનું બુકિંગ ટુર્સ એજન્ટો નહિ કરી શકે,આ છે મુખ્ય કારણ

હવે ટુર્સ ઓપરેટર આ ટિકીટ બુક કરાવી શકતા નથી.મુસાફરો જ્યારે એર ઇન્ડિયાની ઓફિસે જાય છે ત્યારે તેને સરકારી કચેરીમાં જે પ્રકારનું વર્તન થાય છે તેવો અહેસાસ થાય છે.એટલુ જ નહિ એર ઇન્ડિયાની વે્બ સાઇટમાં ટિકીટ બુક કરવી ખુબ જ જટિલ પ્રક્રિયા છે.

Rajkot : હવે કેનેડા-ઓસ્ટ્રેલિયાની એર ઇન્ડિયાની ફલાઇટનું બુકિંગ ટુર્સ એજન્ટો નહિ કરી શકે,આ છે મુખ્ય કારણ
Rajkot Tour And Travel Association Protest Over Air India CloseI nventory access
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 22, 2022 | 4:23 PM
Share

રાજકોટ(Rajkot) ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના હોદ્દેદારો એરપોર્ટ ખાતે આવેલી એર ઇન્ડિયાની ઓફિસ ખાતે કેનેડા અને ઓસ્ટ્રેલિયાના બુકિંગ માટે ઇન્વેન્ટરી એક્સેસ સેવા શરૂ કરવા માંગ કરી હતી. એર ઇન્ડિયા(Air India) દ્રારા કેનેડા અને ઓસ્ટ્રેલિયાના બુકિંગ માટે ઇન્વેન્ટરી એક્સેસ(Invertary Excess) બંધ કરી દેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોએ કહ્યું હતું કે ટુર્સ એજન્ટો એરલાઇન્સના પ્રચારકો છે અને મુસાફરોના સર્વિસ પુરી પાડનાર છે.એર ઇન્ડિયાના આ નિર્ણયથી એરલાઇન્સને પણ નુકસાન થશે અને મુસાફરોને હાલાકી પડશે.ટુર્સ ઓપરેટરોએ ચીમકી ઉચ્ચારી છે કે એક સપ્તાહમાં આ અંગે નિર્ણય નહિ લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.આ અંગે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશને કહ્યું હતું કે ઇન્વેન્ટરી એકસેસ બંધ કરી દેતા મુસાફર પોતાની ટિકીટ જાતે જ બુક કરાવી પડે છે .

રાજકોટમાં તો એર ઇન્ડિયાની શહેરમાં ઓફિસ પણ નથી

હવે ટુર્સ ઓપરેટર આ ટિકીટ બુક કરાવી શકતા નથી.મુસાફરો જ્યારે એર ઇન્ડિયાની ઓફિસે જાય છે ત્યારે તેને સરકારી કચેરીમાં જે પ્રકારનું વર્તન થાય છે તેવો અહેસાસ થાય છે.એટલુ જ નહિ એર ઇન્ડિયાની વે્બ સાઇટમાં ટિકીટ બુક કરવી ખુબ જ જટિલ પ્રક્રિયા છે.રાજકોટમાં તો એર ઇન્ડિયાની શહેરમાં ઓફિસ પણ નથી અને એરપોર્ટ ખાતે સાંજે 6 વાગ્યે ઓફિસ બંધ થાય છે ત્યારે લોકોને ભારે હાલાકી પડશે.

બહારના દેશોના ટુર્સ ઓપરેટરો બુકિંગ કરાવી શકાય તો ભારતથી કેમ નહિ

ટુર્સ ઓપરેટરોએ કહ્યું કે એર ઇન્ડિયા દ્રારા લેવાયેલો આ નિર્ણય ખુબ જ વિસંગતતા ભર્યો છે.કારણ કે બહારના દેશોના ટુર્સ ઓપરેટરો માટે ઇન્વેન્ટરી એક્સેસ ચાલુ રાખવામાં આવી છે જ્યારે ભારત માટે બંધ કરવામાં આવી છે કે કેટલે અંશે યોગ્ય તે મોટો સવાલ ટુર્સ ઓપરેટરો કહી રહ્યા છે.એર ઇન્ડિયા આ માટે મુસાફરોને ટિકીટ સસ્તી પડશે તેવો દાવો કરી રહ્યા છે જેની સામે ટુર્સ ઓપરેટરો એર ઇન્ડિયા દ્રારા કોરોનાના બહાના  હેઠળ લોકો પાસેથી વધુ રૂપિયા વસૂલ કર્યા હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : Banaskantha: પાણી માટે ફરી થશે જળ આંદોલન, પાલનપુર તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત આગેવાનોની ગુપ્ત બેઠક 

આ પણ વાંચો : Surat : અમરોલીમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાની જહેમત, શહેરમાં વધુ એક બ્રિજ બનાવવા પાલિકાએ તજવીજ હાથ ધરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">