Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: બોલો- વર્ષ 2019નો પાકવીમો ખેડૂતોને 2023માં મળ્યો, કોંગ્રેસે કહ્યું ‘સરકાર પાકવીમા પર સ્પષ્ટતા કરે’

Rajkot: ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો પાકવીમો ચુકવવા માટે હાઈકોર્ટની ફટકાર બાદ વીમા કંપનીઓ રહી-રહીને જાગી છે. પાકવીમા કંપની દ્વારા ખેડૂતો વર્ષ 2019નો વીમો 203માં મળ્યો છે. આ અંગે પાલ આંબલિયાએ પણ સરકાર પર આક્ષેપ કર્યા છે.

Rajkot: બોલો- વર્ષ 2019નો પાકવીમો ખેડૂતોને 2023માં મળ્યો, કોંગ્રેસે કહ્યું 'સરકાર પાકવીમા પર સ્પષ્ટતા કરે'
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 31, 2023 | 6:46 PM

Rajkot: રાજ્યના ખેડૂતોને વર્ષ 2019માં મળેલા પ્રિમિયમના આધાર પર અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની વીમા કંપનીએ રહી રહીને ભરપાઈ શરૂ કરી છે. પાક વીમા કંપની દ્વારા રાજ્યના કેટલાક ખેડૂતોને 200 રૂપિયાથી લઈને 80 હજાર રૂપિયા સુધીનો મંજૂર થયેલો ક્લેમ બેંક મારફતે તેના ખાતામાં મળી રહ્યો છે. જો કે આ વીમાની ચૂકવણીમાં કેટલીક બાબતો શંકાના ઘેરામાં હોવાનો કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે. પાલ આંબલિયાએ દાવો કર્યો છે કે રાજ્યમાં 7 લાખ ખેડૂતોએ વીમા કંપનીને લઈને અરજીઓ કરી હતી, ત્યારે કેટલા ખેડૂતોને અને કઈ રીતે આ સહાય ચૂકવવામાં આવી છે. તેની કોઈ જ માહિતી નથી જે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.

સહાયની ચૂકવણી, માપદંડ કઈ રીતે રખાયા

પાલ આંબલિયાએ દાવો કર્યો હતો કે ખેડૂતને વીમા કંપની દ્વારા જે સહાય ચૂકવવામાં આવી છે, તેમાં અનેક વિસંગતતાઓ છે. કેટલાક ખેડૂતોને એવો મેસેજ કરવામાં આવ્યો છે કે સરકારની સબસીડી આવ્યા બાદ વધારાનો હપ્તો ચૂકવવામાં આવશે. કેટલાક ખેડૂતોને માત્ર 200 રૂપિયા મંજૂર થયા છે તો કેટલાકને પુરેપુરો વીમો મળ્યો છે. કેટલાક ગામોમાં માત્ર 10 ખેડૂતોને વીમો મળ્યો છે ત્યારે સરકાર આ અંગે સ્પષ્ટતા કરે તે માટે પાલ આંબલિયાએ સરકારને પત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે જેના જવાબની સરકાર પાસે માંગ કરી છે.

આ પણ વાંચો : મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કોને બચાવી રહી છે તે સવાલને લઈ ઉઠી ચર્ચા

Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?
અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા

આંબલિયાએ સરકારને કરેલા સવાલો

  •  આ પાકવીમો ક્યા વર્ષનો છે ?
  •  કયા પાક માટેનો છે ?
  •  કયા કયા તાલુકાઓમાં મંજુર થયો છે ?
  •  કેટલા ટકા મંજુર થયો છે ?
  •  આ પાકવિમો આંશિક છે કે પૂરો છે ?
  •  જો આંશિક છે તો પૂરો શા માટે નથી આપવામાં આવતો ?
  •  કઇ કઈ પાકવીમાં કંપનીઓ દ્વારા આ પાકવિમો અપાઈ રહ્યો છે ?
  •  આ પાકવિમો આંશિક હોય કે પૂરો હોય તો એક ગામમાં 10 ખેડૂતોને આવે ને બીજા ને કેમ નથી આવતો ?
  •  પાક નુકશાની થઈ હોય તો ગામના તમામ ખેડૂતોને હોય તો આવું શા માટે ?
  •  ખેડૂતોએ કરેલી પાક નુકશાની અરજીના આધારે તો નથી ને ?
  • /A) જો એવું હોય તો 2019 માં અંદાજે 7 લાખ ખેડૂતોએ અરજી કરી હતી તો એ બધાને કેમ નથી આવતો ?
  •  પાકવીમાં કંપની કે સરકાર લગત બેંકને મંજુર થયેલો પાકવીમાં વાળા ખેડૂતોનું લિસ્ટ શા માટે આપતા નથી ?
  •  દરેક તાલુકામાં કેટલા ખેડૂતને કેટલા ટકા અને કુલ કેટલી રકમ જમા થઈ તેની વિગત શા માટે જાહેર કરવામાં આવતી નથી ?
  •  જે ખેડૂતોને ખાલી મેસેજ જ આવ્યો છે તેને આ રૂપિયા ક્યારે મળશે ?
  •  રાજ્ય સરકારની સબસિડી ક્યારે જમા થશે ને એ રૂપિયા ખેડૂતોને ક્યારે મળશે ?
  •  ઉપરના મેસેજમાં આપ જોશો તો અત્યારે 50% રકમ કંપની આપે છે અને 50% રકમ રાજ્ય સરકાર સબસીડી આપશે ત્યારે જમા થશે એવું મેસેજમાં શા માટે લખે છે ?
  •  ખેડૂતોને આપવાના રૂપિયા રાજ્ય સરકાર આપતી નથી તેવો આરોપ પાકવીમાં કંપનીઓ શા માટે કરી રહી છે ?
  •  આ મેસેજથી એક એક ખેડૂતને સમજાય છે કે રાજ્ય સરકાર ખેડૂતોને રૂપિયા આપતી નથી એટલે ખેડૂતોનો મંજુર થયેલો પાકવિમો પૂરો મળતો નથી
  •  શું રાજ્ય સરકાર નથી ઈચ્છતી કે ખેડૂતોને પાકવીમાની રકમ મળે ?? રાજ્ય સરકાર શા માટે ખેડૂત વિરોધી થઈ રહી છે ?
  •  જે સબસીડી પાકવીમાં કંપનીઓને રાજ્ય સરકારે આપવાની છે એમાંથી વીમા કંપનીએ ખેડૂતોના જેટલા નાણાં આપવાના છે તે રાજ્ય સરકારે પાકવીમાં કંપનીની જેમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવા જોઈએ
  •  રાજ્ય સરકાર કેટલી ખેડૂતલક્ષી છે તે આ પરથી સમજાય છે કે ખેડૂતોનો 2019નો મંજુર થયેલો પાકવીમો કંપનીઓ પાસેથી તેમના કાન પકડીને એજ વર્ષમાં ખેડૂતોને આપવો જોઈએ પણ સરકાર કંપનીઓને છાવરતી રહી ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી. ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પાકવીમાં કાપનીઓને ફટકાર લગાવી પછી ખેડૂતોના ખાતામાં પાકવીમા કંપનીઓ રૂપિયા આપે છે પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો, એ હજુ ખેડૂતોને મળતો નથી તો શું અમારે ખેડૂતોએ રાજ્ય સરકારના હિસ્સા માટે ફરીથી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે ?

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">