Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કોને બચાવી રહી છે તે સવાલને લઈ ઉઠી ચર્ચા

રાજકોટની મારવાડી કોલેજમાં ગત એપ્રિલ માસમાં ગાંજો મળવાના કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં શંકાસ્પદ હાલતમાં મળેલા છોડ નશાકારક ગાંજો હોવાનું સામે આવતા કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કોને બચાવી રહી છે તે સવાલને લઈ ઉઠી ચર્ચા
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 31, 2023 | 5:07 PM

મારવાડી કોલેજ (Marwadi College) ગાંજા કેસમાં પોલીસે ગુનો નોંધતા કોલેજમાં ચાલતા કાળા કારનામાનો પર્દાફાશ થયો છે. એપ્રિલ માસમાં ગાંજો મળવાના કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ છે. જો કે આ કેસમાં પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં છે. પોલીસે મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાનો છોડ મામલે કોઇ વ્યક્તિ નહિ પરંતુ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે તો પોલીસ કોને બચાવવા માંગે છે તે મોટો સવાલ છે.

ફરિયાદીને નુકસાન ન થાય તે માટે કોઇનું નામ લખ્યું નથી- એસીપી

આ તરફ એનડીપીએસનો મામલો હોવાથી આ ઘટનાની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીનું કહેવું છે કે, એફએસએલના રિપોર્ટ બાદ હવે હોસ્ટેલની નજીક ગાંજો કઇ રીતે આવ્યો તેની તપાસ હાથ ધરાશે.

આ ઘટનામાં બગીચાના માળી, તે વિંગમાં રહેતા વિધાર્થી, સિક્યુરીટી ગાર્ડ, વોર્ડ મેન સહિતના લોકોની પુછપરછ કરવામાં આવશે અને કોના દ્રારા આ જથ્થો મુકવામાં આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરાશે. પોલીસે આ ફરિયાદમાં કોઇ એક વ્યક્તિની જવાબદારી ન રાખતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે જે શઁકાના દાયરામાં છે.

Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?

સામાન્ય રીતે કોઇ ગેરકાનુની પ્રવૃતિ ચાલતી હોય તો તે મિલ્કતના સંચાલક અથવા તો જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં ગાંજાના 24 જેટલા છોડ મળ્યા હોવા છતા પણ મારવાડી કોલેજના સંચાલક કે સિક્યુરિટી સામે ગુનો નોંધાયો નથી આ અંગે પોલીસને પુછતા તેઓએ લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ફરિયાદમાં નુકસાન ન થાય તે માટે કોઇ વ્યક્તિનું નામ લખ્યું નથી. પોલીસનો દાવો છે કે જો કોઇ વ્યક્તિનું નામ ફરિયાદમાં હોય અને તે પાછળથી કસુરવાર ન હોય તો ફરિયાદને નુકસાન થાય તેથી કોઇનું નામ લખવામાં આવ્યું નથી.

અમે તપાસમાં પુરો સહયોગ આપીશું- સંચાલકો

ફરિયાદ અંગે કોલેજના સંચાલકોએ દાવો કર્યો છે કે અમે પોલીસની તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું. આ ગાંજો ક્યાંથી આવ્યો તે અમારા માટે પણ પ્રશ્ન છે અમે કોલેજમાં માવા, સિગારેટ સહિત તમામ નશાકારક ચીજવસ્તુ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે અમે અમારા કેમ્પસમાં પણ ચકાસણી કરી હતી. એટલું જ નહિ સિક્યુરીટી દ્રારા સમયાંતરે હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : મારવાડી કોલેજમાંથી મળેલા ગાંજાને લઇને મોટો ખુલાસો, FSL રિપોર્ટમાં મળેલા છોડ ગાંજાના જ નીકળ્યા, જુઓ Video

સાડા ત્રણ મહિનામાં SITની કામગીરી નહિવત

ગત એપ્રિલ માસમાં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે પોલીસ કમિશનર દ્રારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આ એસઆઇટી દ્રારા અલગ અલગ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા જો કે સાડા ત્રણ મહિનાની તપાસ બાદ પણ એસઆઇટી આ શંકાસ્પદ છોડ ક્યાંથી આવ્યા તે અંગે નક્કર કડી મેળવી શકી નથી તો સવાલ એ છે કે હવે પોલીસ આ શિક્ષણના ઘામમાં ગાંજાનું વાવેતર કરનારને પકડી શકશે ખરા.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">