AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: તબીબોની સતત બીજા દિવસે હડતાળ, 125થી વધુ ઓપરેશન ટલ્લે ચડ્યા

રાજકોટ જિલ્લાના 350 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે બીજા દિવસે મેડિકલ કોલેજ કેમ્પસમાં તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તબીબોએ કેમ્પસમાં રામધુન બોલાવી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Rajkot: તબીબોની સતત બીજા દિવસે હડતાળ, 125થી વધુ ઓપરેશન ટલ્લે ચડ્યા
Doctors strike continues for second day in Rajkot
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 05, 2022 | 2:07 PM
Share

રાજકોટ (Rajkot) સહિત ગુજરાતભરના સિનિયર તબીબોની (Doctors) હડતાળ (Strike)નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે તબીબો દ્વારા હડતાળ પાડવાને કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો સારવાર કરતા હોવાને કારણે ઓપીડીમાં કોઈ ખાસ અસર થઈ નથી, પરંતુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં સિનિયર ડોક્ટરો ફરજ પર હાજર ન હોવાને કારણે ઓપરેશન થિયેટર સૂમસામ જોવા મળી રહ્યા છે.

દૈનિક 100થી 125 ઓપરેશન થાય છે

રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં ઓર્થોપેડિક, આંખ, કાન, ગળા, ગાયનેક વિભાગ, પ્લાસ્ટિક સર્જરી મળીને કુલ 100થી 125 જેટલા ઓપરેશન થાય છે. સૌથી વધારે ઓપરેશન ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગમાં થાય છે. સિનિયર ડોક્ટરોની ગેરહાજરીથી ઓપરેશન થઈ શકતા નથી. ત્યારે બે દિવસથી હડતાળ હોવાને કારણે ઓપરેશન ટલ્લે ચડી રહ્યા છે.

સિનિયર તબીબોએ રામધૂન બોલાવી

રાજકોટ જિલ્લાના 350 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. આજે બીજા દિવસે મેડિકલ કોલેજ કેમ્પસમાં તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તબીબોએ કેમ્પસમાં રામધુન બોલાવી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટના સિનિયર તબીબ ડો.કમલ ડોડિયાએ કહ્યું હતું કે સરકાર અમારી માગને ગંભીરતાથી લેતી નથી. જેથી હડતાળ કરવી પડી રહી છે. વર્ષ 2012થી આ પ્રશ્ન ઉભો છે. કોરોનાના કપરા કાળમાં સરકારે આ તમામ માગ પૂરી કરવા માટે બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી આ માગ સંતોષાય નથી, ત્યારે સરકાર જ્યાં સુધી માગ નહીં સંતોષે ત્યાં સુધી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

મહત્વનું છે કે રાજ્યભરના તબીબો વિવિધ માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે, છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે, તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે જેવી વિવિધ માગ સાથે તબીબો હડતાળ પર છે. જેના કારણે દર્દીઓની સારવાર પર અસર વર્તાઇ રહી છે.

આ પણ વાંચો-

Kheda: રાજ્યમાં વધુ એક ધોરણ 10ના વિદ્યાર્થીનું પરીક્ષા દરમિયાન મોત, દિવ્યાંગ વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં જ ઢળી પડ્યો

આ પણ વાંચો-

ગુજરાતના 8 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું, આજે પ્રચંડ ગરમીનું મોજું યથાવત રહેશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">