AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રાજ્યમાં પ્રથમવાર યોજાશે કર્મકાંડી બ્રાહ્મણો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ, ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને ચોગ્ગા,છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો

રાજ્યમાં પ્રથમવાર કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યુ છે. જે આગામી 3 અને 4 માર્ચના રોજ રૂદ્રશક્તિ ગ્રાઉન્ડ રતનપર ખાતે યોજાશે. જેમા કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેને વેદનારાયણ કપ નામ આપવામાં આવ્યુ છે. ટુર્નામેન્ટ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવશે અને ચોગ્ગા, છગ્ગા પર વૈદિક મંત્રો બોલાશે.

Rajkot: રાજ્યમાં પ્રથમવાર યોજાશે કર્મકાંડી બ્રાહ્મણો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ, ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને ચોગ્ગા,છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 28, 2023 | 8:14 PM
Share

રાજ્યમાં પ્રથમ વખત કર્મકાંડી બ્રાહ્મણો માટે ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આગામી 3 અને 4 માર્ચના રોજ રૂદ્રશક્તિ ગ્રાઉન્ડ રતનપર ખાતે આ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. આ  ટુર્નામેન્ટને વેદ નારાયણ કપ-2023 નામ આપવામાં આવ્યું છે. કોઇ વૈદિક પુજા ચાલતી હોય તે પ્રકારના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં ટીમના નામ ઋષિકુમારોના નામ પરથી રાખવામાં આવ્યા છે.

ટીમના નામ

  • ભારદ્રાજ ઇલેવન (શાસ્ત્રી વિજય જોષી)
  • વિશ્વામિત્ર ઇલેવન (શાસ્ત્રી હરીશ ભોગાયતા)
  • અત્રિ ઇલેવન (શાસ્ત્રી હિરેન જોષી)
  • શાંડિલ્ય ઇલેવન (શાસ્ત્રી ગોપાલ જાની)
  • વશિષ્ઠ ઇલેવન (શાસ્ત્રી હિરેન ત્રિવેદી)
  • જમદગ્નિ ઇલેવન (શાસ્ત્રી અસિત જાની)
  • કશ્યપ ઇલેવન (શાસ્ત્રી જસ્મીન જોષી)
  • ગૌતમ ઇલેવન (શાસ્ત્રી જયેશ પંડ્યા)

સંસ્કૃતમાં થશે કોમેન્ટ્રી-ચોગ્ગા-છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રોચ્ચાર

આ ટૂર્નામેન્ટનું આયોજન કરનાર તેજસ ત્રિવેદીએ Tv9 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કર્મકાંડી બ્રાહ્મણો માટેનું આ પ્રકારનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. શહેરના મુખ્ય આઠ કર્મકાંડી શાસ્ત્રીઓને ટીમના માલિક બનાવવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં શહેરભરના કર્મકાંડીઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. જે ખેલાડીઓ આ ક્રિકેટ રમશે તેઓ ધોતી અન ઝભ્ભો પહેરીને મેદાને ઉતરશે એટલું જ નહીં કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં બોલવામાં આવશે. જ્યારે પણ ખેલાડીઓ ચોગ્ગા કે છગ્ગા મારશે ત્યારે સંસ્કૃતના વૈદિક મંત્રોચ્ચારથી ગ્રાઉન્ડ ગુંજી ઉઠશે.

3 માર્ચે 8 ટીમ વચ્ચે 4 મેચ રમાશે, 4 માર્ચે સેમી ફાઈનલ-ફાઈનલ રમાશે

આ ટુર્નામેન્ટનું બે દિવસનું આયોજન કરાયું છે. 3 માર્ચના રોજ 8 ટીમો વચ્ચે ચાર મેચ મળીને દરેક ટીમ એક એક મેચ રમશે. જે જીતશે તે ટીમ બીજા દિવસે પહેલા સેમી ફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમશે. અત્યાર સુધીમાં ઝભ્ભા અને ધોતિયામાં બ્રાહ્મણોને મંદિર કે કોઇ ધાર્મિક પ્રસંગોમાં મંત્રોચ્ચાર સાથે જોયા હશે પરંતુ હવે આ કર્મકાંડી બ્રાહ્મણો ક્રિકેટ રમતાં જોવા મળશે.

આ પણ વાંચો: Breaking News : ‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડ આખરે 72 દિવસે આવ્યો જેલ બહાર, પણ માનવી પડશે હાઇકોર્ટની આ ખાસ શરત

આ ટુર્નામેન્ટનું આયોજન ભૂદેવ સેવા સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવ્યુ છે.  કર્મકાંડી બ્રા્હ્મણો માટે આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રકારની ટુર્નામેન્ટના આયોજન થકી બ્રાહ્મણોને પોતાના કર્મકાંડ તરફ જાગૃત કરવાનો પણ એક પ્રયાસ છે, જે કોઈ ભાષણોના માધ્યમથી નહીં પરંતુ ખેલના માધ્યમથી કરાઈ રહ્યુ છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">