AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રાજકોટ-લોધિકા સંઘના અરવિંદ રૈયાણી જૂથનું પત્તુ કપાયુ, ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા રિપીટ, અરજણ રૈયાણીની વાઈસ ચેરમેન તરીકે વરણી

Rajkot: રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી જૂથનું પત્તુ કપાયુ છે અને ચેરમેન પદે નરેન્દ્રસિંહ જાડેજા રિપીટ થયા છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે અરજણ રૈયાણીની વરણી કરવામાં આવી છે.

Rajkot: રાજકોટ-લોધિકા સંઘના અરવિંદ રૈયાણી જૂથનું પત્તુ કપાયુ, ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા રિપીટ, અરજણ રૈયાણીની વાઈસ ચેરમેન તરીકે વરણી
Mohit Bhatt
| Edited By: | Updated on: May 02, 2023 | 10:28 PM
Share

રાજકોટ જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને વાઈસ ચેરમેન તરીકે અરજણ રૈયાણીની વરણી કરવામાં આવી છે. આજે(02.05.23) રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા દ્રારા પ્રદેશ ભાજપ દ્રારા આપવામાં આવેલા મેન્ડેટ સાથે સંકલનની બેઠક કરી હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્રારા આ બંન્ને નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ લોધિકા સંઘમાં નરેન્દ્રસિંહ જાડેજાનું નામ રિપીટ થતા પૂર્વ રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી અને તેનું જુથ કપાયું હતું. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાનો હાથ ઉપર રહ્યો હતો.

ભાજપના બે જુથ વચ્ચે હતો ખરાખરીનો જંગ

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી માટે ભાજપના જ બે જુથ આમને સામને હતા. એક તરફ હાલના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા એક ધારાસભ્ય અને મંત્રીનું સમર્થન મેળવીને તેને રિપીટ કરવામાં આવે તેવી રજૂઆત છેલ્લે સુધી કરી હતી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુધી આ રજૂઆત પહોંચાડવામાં આવી હતી. બીજી તરફ પૂ્ર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા જુથ દ્વારા તેઓના જુથમાંથી કોઈ એકને સ્થાન આપવામાં આવે તેવી પ્રદેશ પ્રમુખથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી.

બંન્ને વચ્ચેના જુથવાદમાં રૈયાણી જુથ દ્રારા લોઘિકા સંઘના નફામાં ઘટાડો થયો અને ગત ટર્મમાં સાથે રહીને નરેન્દ્રસિંહને સહયોગ આપ્યાનો દાવો કર્યો હતો. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાએ વિધાનસભાની ચૂંટણીમાં રૈયાણી જુથ નિષ્ક્રિય રહ્યું હોવાની રજૂઆત કરી હતી જેના કારણે રાજકારણ ગરમાયું હતું.

પદ માંગણી કરવાનો સૌ કોઈને હક- જિલ્લા પ્રમુખ

ભાજપના આંતરિક જુથવાદ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ કહ્યું હતું કે કોઇપણ સહકારી સંગઠન હોય તેમાં પદ માટે માંગણી કરવાનો દરેક કાર્યકર્તાને હક છે. આ માટે દરેક કાર્યકર્તાઓની સેન્સ પણ લેવાતી હોય છે પરંતુ પાર્ટી જ્યારે કોઈ એક ઉમેદવારનું નામ જાહેર કરે છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક થઈને કામ કરે છે અને કોઈ જુથવાદ રહેશે નહિ તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: Rajkot: સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 30 લોકોની વતન વાપસી, બસપોર્ટ પર આત્મજનોના મિલાપથી ભાવુક દ્રશ્યો સર્જાયા

રાજકોટ-લોધિકા સંઘમાં પ્રમાણિક વહિવટથી પાર્ટી ખુશ-નરેન્દ્રસિંહ જાડેજા

ચેરમેન તરીકે રિપીટ થયા બાદ નરેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. નરેન્દ્રસિંહે કહ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ લોઘિકા સંઘમાં પ્રમાણિકતાથી વહિવટ સંભાળ્યો છે. મારા કામથી જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ ખુશ છે. જેથી મને ફરીથી રિપીટ કરાયો છે. આગામી દિવસોમાં હું આ પ્રમાણિક વહિવટને આગળ વધારીશ અને પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મુક્યો છે તેને ચરિતાર્થ કરીશ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
g clip-path="url(#clip0_868_265)">