Rajkot: એઇમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી ડિસેમ્બર 2022થી શરૂ થશે, એઇમ્સ સુધી પહોંચવા માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે

મનસુખ માંડવિયાએ એઇમ્સના ડાયરેક્ટર સહિતના અધિકારીઓએ સાથે બેઠક બાદ કહ્યું કે એઇમ્સનું સંપૂર્ણ કામ 2023 સુધીમાં પૂરૂ થઇ જશે, હાલમાં પ્રાથમિક સુવિધાઓ સાથેની ઓપીડી ચાલુ છે જ્યારે ડિસેમ્બર 2022 સુધીમાં સંપૂર્ણ ફેસેલીટી સાથેની ઓપીડી શરૂ થઈ જશે

Rajkot: એઇમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી ડિસેમ્બર 2022થી શરૂ થશે, એઇમ્સ સુધી પહોંચવા માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:51 PM

રાજકોટ (Rajkot) થી જામનગર રોડ તરફ પરાપીપળિયા ખંઢેરી નજીક ગુજરાતની પ્રથમ એઇમ્સ શરૂ થવા જઇ રહી છે. આજે એઇમ્સ (AIMS) ની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandvia) એ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મનસુખ માંડવિયાએ એઇમ્સ ખાતે નિર્માણાધીન બિલ્ડીંગોની સમિક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

મનસુખ માંડવિયાએ એઇમ્સના ડાયરેક્ટર આરોગ્ય વિભાગના અધિકારીઓએ સાથે બેઠક કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે એઇમ્સનું સંપૂર્ણ કામ વર્ષ 2023 સુધીમાં પૂરૂ થઇ જશે. હાલમાં પ્રાથમિક સુવિધાઓ સાથેની ઓપીડી ચાલુ છે જ્યારે વર્ષ ડિસેમ્બર 2022 સુધીમાં સંપૂર્ણ ફેસેલીટી સાથેની ઓપીડી શરૂ થશે તેવું પણ જણાવ્યું છે.

એઇમ્સ સુઘી પહોંચવા સીટી બસ શરૂ થશે

આ બેઠકમાં દર્દીઓને એઇમ્સ સુધી પહોંચવા માટે પડતી મુશ્કેલીનો મુુદ્દો પણ સામે આવ્યો હતો. મનસુખ માંડવિયાએ આ બેઠકમાં મેયર પ્રદિપ ડવ સાથે ચર્ચા કરી હતી અને ટૂંક સમયમાં રાજકોટથી એઇમ્સ સુધી પહોંચાડવાની તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે ગત ડિસેમ્બર માસથી એઇમ્સ ખાતે પ્રાથમિક ઓપીડી શરૂ થઇ ગઇ છે પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે કોઇ ટ્રાન્સપોર્ટ સેવા ઉપલબ્ધ નથી જેથી હવે સીટી બસ શરૂ કરવામાં આવશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

હેલ્થ સેન્ટરથી દર્દીઓ સીધું એઇમ્સનું માર્ગદર્શન મેળવી શકશે

આજે મળેલી સમિક્ષા બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હેલ્થ સેન્ટરથી જે દર્દીને વધારે મુશ્કેલી હોય તેવા દર્દી માટે એઇમ્સના ડોક્ટરનું માર્ગદર્શન મેળવી શકશે. આ અંગે એઇમ્સ દ્રારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હેલ્થ સેન્ટરના ડોક્ટર દ્રારા એઇમ્સના ડોક્ટર સાથે ચર્ચા કરી શકાશે અને જો જરૂરિયાત હશે તો એઇમ્સ દ્રારા વધુ સારવાર અંગેની પણ સૂચના આપવામાં આવશે.

ઓપીડીમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરાશે

મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે હાલમાં ઓપીડીમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે તેમાં વધારો કરવામાં આવશે. એઇમ્સ દ્રારા જે આધુનિક સાધન સામગ્રીની માંગ કરવામાં આવી છે તેને તાત્કાલિક આપવાની સૂચના આરોગ્ય વિભાગને આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આધુનિક સાધન સામગ્રી એઇમ્સને સોંપવામાં આવશે જેથી દર્દીઓને વિશેષ લાભ મળશે..

એઇમ્સમાં તળાવનું બ્યુટિફીકેશન અને ગાર્ડનની સુવિધા ઉભી થશે

એઇમ્સ હોસ્પિટલમાં સ્પેશ્યાલીસ્ટ,સુપર સ્પેશ્યાલીસ્ટ સુવિધા,મેડિકલ કોલેજ, આયુષ વિભાગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. દર્દીઓના સગાંને રહેવા માટેની સુવિધા, હોસ્ટેલ અને કેન્ટિન સહિતની સુુવિધાઓ પણ ઉભી થવાની છે તેની સાથે સાથે ગાર્ડન અને એઇમ્સ કમ્પાઉન્ડમાં એક તળાવ પણ આવેલું છે ત્યાં બ્યુટિફિકેશનનું કામ પણ ઉભુ કરવામા્ં આવશે.

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BHMSની રેગ્યુલર પરીક્ષા અચાનક મોકુફ, 15 હજાર વિદ્યાર્થીઓમાં રોષ

આ પણ વાંચોઃ વડોદરામાં ચાલતી શહેરી બસ સેવાની વ્યવસ્થામાં અગડમ-બગડમ, શું સીટી બસ સેવા કરી રહી છે ખોટ ?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">