Rajkot : વિપક્ષ પદ ગયા બાદ કોંગ્રેસે શાસક પક્ષને કર્યા સવાલ, કહ્યુ જો સંખ્યા બળ ન હતું તો બે વર્ષ પહેલા પદ કેમ આપ્યું ?

Rajkot : કોંગ્રેસ પાસે પુરતૂ સંખ્યાબળ ન હોવાને કારણે તેમને મળેલી સુવિધાઓ પરત ખેંચવા માટેની માગ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણીને તેને મળેલી કાર પરત આપવા અને મહાનગરપાલિકા કચેરીમાં મળેલું કાર્યાલય ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.

Rajkot : વિપક્ષ પદ ગયા બાદ કોંગ્રેસે શાસક પક્ષને કર્યા સવાલ, કહ્યુ જો સંખ્યા બળ ન હતું તો બે વર્ષ પહેલા પદ કેમ આપ્યું ?
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 26, 2023 | 4:43 PM

રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિરોધ પક્ષનું પદ છીનવાઇ ગયું છે. રાજકોટના મેયર પ્રદિપ ડવ દ્વારા સેક્રેટરી મારફતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પાસે પુરતૂ સંખ્યાબળ ન હોવાને કારણે તેમને મળેલી સુવિધાઓ પરત ખેંચવા માટેની માગ કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણીને તેને મળેલી કાર પરત આપવા અને મહાનગરપાલિકા કચેરીમાં મળેલું કાર્યાલય ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કુલ 72 કોર્પોરેટરો છે, જેમાંથી કોંગ્રેસના બે કોર્પોરેટરો છે જ્યારે બે કોર્પોરેટરો કોંગ્રેસ છોડીને આપમાં ગયા હોવાને કારણે ગેરલાયક ઠેરવાયા છે.

આ પણ વાંચો-Railway News : વેકેશન દરમિયાન ફરવા જવા ઇચ્છતા હોવ તો જલ્દી ટિકિટ બૂક કરાવી લેજો, નહીંતર ટ્રેન બૂકિંગ થશે મુશ્કેલ, આ છે કારણ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો સંખ્યા બળ ન હતું તો બે વર્ષ પહેલા પદ કેમ આપ્યું-કોંગ્રેસ

આ મુદ્દે કોંગ્રેસે શાસકો સામે સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે, બે વર્ષ પહેલા પણ સંખ્યા બળ ન હતુ, તો શા માટે ત્યારે વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું હતું. વિરોધ પક્ષના નેતા તરીકે ભાનુબેન સોરાણીએ ભગવતી પરા વિસ્તારમાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.

જેના કારણે આ સુવિધાઓ પાછી છીનવાઇ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસે લોકોના પ્રશ્નો સાંભળવા માટે મહાનગરપાલિકામાં જગ્યાની ફાળવણી કરવાની માગ કરી છે અને જો જગ્યા નહિ ફાળવવામાં આવે તો બગીચામાં બેસીને લોકોના પ્રશ્નોને વાચા આપશે તેવો દાવો કર્યો હતો.

કોંગ્રેસના એક કોર્પોરેટર હતા તો પણ વિપક્ષ પદ અપાયું હતું-અશોક ડાંગર

વિપક્ષ પદ પાછું ખેંચી લેવા મામલે કોંગ્રેસના નેતા અને પૂર્વ મેયર અશોક ડાંગરે કહ્યું હતું કે, વર્ષ 1995માં જ્યારે કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર તરીકે લાધા પટેલ ચૂંટાયા હતા, ત્યારે ભાજપના નેતા ચીમનભાઇ શુક્લએ તેમને વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું હતું. આ સમયે વિરોધ પક્ષના નેતા પાસે કારની સુવિધા ન હતી, પરંતુ કાર્યાલયની જરૂર હતી. જેના કારણે તેઓને કાર્યાલય સહિત વિપક્ષના નેતાને મળતી સુવિધાઓ આપવામાં આવી હતી.

વિપક્ષના નેતાને કઇ કઇ સુવિધાઓ મળે છે ?

  1. વિપક્ષ નેતાને કાર મળે છે
  2. વિપક્ષ નેતાને કાર્યાલય મળે છે.જેમાં બે પટ્ટાવાળા મળે છે
  3. જરૂરી કોમ્પ્યુટર સ્ટેશનરી મળે છે
  4. ત્રણ હજાર રૂપિયાની સાબિલવાર ખર્ચ નિમીતે ગ્રાન્ટ આપે જે પત્રવ્યવહાર માટે હોય છે
  5. પાંચ લાખ રૂપિયાની વઘારાની ગ્રાન્ટ મળે છે.
  6. મહાનગરપાલિકાના તમામ કાર્યક્રમોમાં ફરજીયાત આમંત્રિત હોય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">