Rajkot: કાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટીઓની બેઠક, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા કરશે

હાલ તો ખોડલધામની પોલિટિક્સ સમિતિનો સર્વે ચાલી રહ્યો છે. જે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ જ ટ્રસ્ટીમંડળ નરેશ પટેલ અંગે કોઈ જાહેરાત કરશે.

Rajkot: કાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટીઓની બેઠક, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા કરશે
Naresh Patel (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 3:16 PM

કાગવડ ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણ (politics) માં ક્યારે એન્ટ્રી કરશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આજે કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બેઠક મળવાની છે. જેમાં આગામી સમયે યોજાનાર મહાસભા અંગે ચર્ચા થવાની શક્યતા છે. બીજી તરફ નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું જોઇએ કે નહીં તેને લઇ સર્વે થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના યુવાનોએ એવો અભિપ્રાય આપ્યો છે કે નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. તો પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે નરેશ પટેલની સામાજિક કાર્યમાં જરૂર છે, જેથી તેઓને રાજકારણમાં પ્રવેશવું ન જોઈએ. હાલ તો ખોડલધામની પોલિટિક્સ સમિતિનો સર્વે ચાલી રહ્યો છે. જે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ જ ટ્રસ્ટીમંડળ નરેશ પટેલ અંગે કોઈ જાહેરાત કરશે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે સરવેના પ્રાથમિક તારણો બહાર આવ્યાં છે અને તે પ્રમાણે ખોડલધામની પોલિટિકલ સમિતિના આંતરિક સર્વેમાં મહત્તમ લોકોનો એવો અભિપ્રાય આવ્યો કે નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ. નરેશ પટેલ અત્યાર સુધી સમાજ કહેશે તો હું ચોક્કસ રાજકારણમાં જઈશ તેવો રાગ આલાપતા રહ્યાં છે. ત્યારે સમાજના આંતરિક સર્વેમાં હવે રાજકારણમાં ન પ્રવેશવું જોઈએ તેવો મહત્તમ સૂર સામે આવ્યો છે. જો કે આ સર્વે કઈ રીતે કરવામાં આવ્યો તેની વિગતો હજુ સુધી ગુપ્ત રાખવામાં આવી છે. બીજી બાજુ ખોડલધામની પોલિટિક્સ સમિતિ તરફથી આવા કોઈ ડેટા બહાર પાડવામાં આવ્યા ન હોવાનું કહેવામાં આવ્યું હતું.

ખોડલધામની પોલિટિક્લ સમિતિનો સર્વે હજુ ચાલી રહ્યો છે. જે એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે. આ પૂર્વે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પક્ષો નરેશ પટેલનું રાજનીતિમાં સ્વાગત કરવા માટે લાલજાજામ પાથરીને બેઠા છે. ત્યારે નરેશ પટેલનો અંતિમ નિર્ણય શું હશે તે અંગે રાજકીય વર્તૂળોમાં ચર્ચા જામી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, 4 સામે એટ્રોસિટીની ફરિયાદ

આ પણ વાંચોઃ ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">