AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

સ્ટોલ સંચાલકોએ જણાવ્યું કે દરરોજ એટલી માંગ (Demand )છે કે અમારી પાસે જે રેલ નીરની બોટલો આવી રહી છે તે ઓછી પડી રહી છે. કારણ કે મોટાભાગના મુસાફરો આખા ડબ્બા ખરીદતા હોય છે. ગરમીમાં વધારો થતાં સુરત સ્ટેશન પર રેલ નીરનો વપરાશ પણ વધી ગયો છે.

ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી
Demand of Rail Neer increase due to severe heat (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 8:59 AM
Share

પશ્ચિમ રેલવેના (Western Railway ) સુરત રેલવે સ્ટેશન પર ભયંકર ગરમીના (Heat ) કારણે છેલ્લા 10 દિવસથી રેલ નીરની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. IRCTC દ્વારા રેલ નીર નો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવા છતાં ગરમીને પગલે આ પાણીની બોટલોની અછત ઉભી થઇ રહી છે. હાલત એવી છે કે સ્ટેશનના સ્ટોલ પર રેલ નીરના બોક્સ તુરંત જ વેચાઈ રહ્યા છે. જેના કારણે ફૂડ સ્ટોલના સંચાલકોને રેલ નીરની બોટલો ફ્રીઝરમાં ઠંડી કરવાની તક પણ મળી રહી નથી. જેથી મુસાફરોને સાદા પાણીમાં જ સંતોષ માનવો પડે છે. IRCTCના પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું કે સતત વધી રહેલી ગરમીને કારણે લાંબા અંતરની ટ્રેનોમાં રેલ નીરનો વપરાશ વધુ થાય છે. આ સિવાય મુંબઈના પશ્ચિમ અને મધ્ય રેલના ઉપનગરીય સ્ટેશનો પર એટલી માંગ છે કે સ્ટેશન સુધી સતત રેલ નીર સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આમ છતાં પુરવઠો ઓછો થઈ રહ્યો છે.

રેલ નીરનું વેચાણ કાયદેસર

આ અઠવાડિયે 10,000 બોક્સ મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંબરનાથ રેલ નીર પ્લાન્ટમાં ઉનાળા પહેલા 1 લાખ 80 હજાર બોટલનું ઉત્પાદન થતું હતું પરંતુ ઉનાળામાં તે 2 લાખ 10 હજાર સુધી પહોંચી ગયું છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત રેલ્વે પશ્ચિમ રેલ્વેના નોટીફાઈડ સ્ટેશનોમાંથી એક છે, જ્યાં રેલ નીરનું વેચાણ કરવું કાયદેસર છે. અગાઉ જ્યાં દરરોજ 500 થી 800 બોટલનો વપરાશ થતો હતો ત્યાં હવે કાળઝાળ ગરમીના કારણે તેનો વપરાશ સતત વધી રહ્યો છે. હવે રોજની બે હજાર જેટલી બોટલનું વેચાણ થઈ રહ્યું છે.

સુરત સ્ટેશન પર રોજની 200 ટ્રેનની અવરજવર

ખાણીપીણીના સ્ટોલ સંચાલકોએ જણાવ્યું કે દરરોજ એટલી માંગ છે કે અમારી પાસે જે રેલ નીરની બોટલો આવી રહી છે તે ઓછી પડી રહી છે. કારણ કે મોટાભાગના મુસાફરો પાણીની બોટલોનાઆખા ડબ્બા ખરીદતા હોય છે. ગરમીમાં વધારો થતાં સુરત સ્ટેશન પર રેલ નીરનો વપરાશ પણ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે સુરત રેલ્વે સ્ટેશન પર હવે રોજની 200 થી વધુ ટ્રેનો અવરજવર કરે છે. ઉનાળાના વેકેશનની સિઝનને કારણે અહીંથી રોજના 80 હજાર જેટલા મુસાફરો અવરજવર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તીવ્ર ગરમીના કારણે, ટ્રેનોના મુસાફરોમાં રેલ નીર પાણીની માંગ નોંધપાત્ર રીતે વધી છે. આ સાથે સપ્લાય કરવા છતાં રેલ નીરની અછત દેખાઈ રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો : સ્માર્ટ સિટી અમદાવાદમાં જ પાણી માટે વલખા મારે છે લોકો, ટેન્કર મગાવી પાણીની જરુરિયાત કરે છે પૂરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">