AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway news : રાજકોટ-જૂનાગઢ વચ્ચે 15 થી 21 ફેબ્રુઆરી સુધી દોડશે શિવરાત્રી સ્પેશિયલ ટ્રેન, સોમનાથ જતી ટ્રેનમાં જોડાયા વધારાના કોચ

રાજકોટથી ટ્રેન સવારે 10.40 એ ઉપડશે,12.40 એ જૂનાગઢ પહોંચશે, જૂનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ઉપડશે ટ્રેન, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે, સોમનાથ - અમદાવાદ - સોમનાથ, વેરાવળ રાજકોટ વેરાવળ, પોરબંદર સોમનાથ પોરબંદર અને રાજકોટ સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

Railway news : રાજકોટ-જૂનાગઢ વચ્ચે 15 થી 21 ફેબ્રુઆરી સુધી દોડશે શિવરાત્રી સ્પેશિયલ ટ્રેન, સોમનાથ જતી ટ્રેનમાં જોડાયા વધારાના કોચ
Indian railwayImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 12:46 PM
Share

મહાશિવરાત્રીનો તહેવાર સાવ નજીક છે ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળામાં હજારો લોકો પહોંચતા હોય છે સાથે જ ગીર સોમનાથ ખાતે આવેલા જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે પણ લોકો શિવરાત્રિના દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેને ધ્યાને લઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાશિવરાત્રી માટેની સ્પેશિયલ ટ્રેન આ પ્રમાણે છે

મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેન  રાજકોટથી સવારે 10-40 વાગ્યે ઉપડશે અને  12-40 વાગ્યે જૂનાગઢ પહોંચશે . તો રાજકોટ પરત આવવા માટે જૂનાગઢથ બપોરે  3-30 વાગ્યે ટ્રેન ઉપડશે.

સાથે જ જૂનાગઢ જતી ટ્રેનમાં વધારાના કોચ પણ જોડવાની  વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં સોમનાથ – અમદાવાદ – સોમનાથ અને વેરાવળ -રાજકોટ  તેમજ  પોરબંદર સોમનાથ  અને રાજકોટ સોમનાથ ટ્રેનનો સમાવેશ થાય છે આ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.  જેતકી મુસાફરો સોમનઆથ અને જૂનાગઢ માટે સરળતાથી પરિવહન કરી શકે.

આ ટ્રેન રાજકોટથી સવારે 10.40 એ ઉપડશે,12.40 એ જૂનાગઢ પહોંચશે, જૂનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ઉપડશે ટ્રેન, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે, સોમનાથ – અમદાવાદ – સોમનાથ, વેરાવળ રાજકોટ વેરાવળ, પોરબંદર સોમનાથ પોરબંદર અને રાજકોટ સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ

દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનો ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ આજથી વિધિવત પ્રારંભ થયો છે. અલગ અલગ અખાડાઓમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને અન્નક્ષેત્રનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભજન, ભોજન, અને ભક્તિના મહાપર્વ સમા મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે. તળેટીમાં આવેલા આશ્રમ, અન્નક્ષેત્રો અને ઉતારા મંડળો શિવભક્તોની પ્રસાદી અને સેવા માટે તૈયાર થઈ ગયા છે. તો મેળામાં 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે. મહાશિવરાત્રિ મેળામાં 100થી વધુ અધિકારીઓની સાથે જ SRPની બે કંપનીઓ પણ તૈનાત રહેશે.  ઉપરાંત 18 તારીખ સુધી અહીં મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડશે તેના માટે પાર્કિંગ, ભોજન, સુરક્ષા સહિતની તૈયારીઓ તંત્રએ પૂર્ણ કરી હતી.

વિથ ઇનપુટ, રોનક મજેઠિયા ટીવી9 રાજકોટ, વિજયસિંહ પરમાર ટીવી9 જૂનાગઢ

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">