રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવે GST સંકલન સમિતી રચવા કરી માંગ

અરવિંદ કેજરીવાલના ગુજરાતના વેપારીઓને  વિવિધ ખાતરી અંગેના નિવેદનો અંગે વી પી વૈષ્ણવે કહ્યું હતું કે  અરવિંદ કેજરીવાલની  ગેરંટી પર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને વિશ્વાસ નથી. વર્તમાન સરકાર પર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતની જનતા અને વેપારીઓ સમજુ છે તેઓ કોઇ લોભામણી જાહેરાત અને ગેરંટીઓમાં ભરમાશે નહીં.

રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવે GST સંકલન સમિતી રચવા કરી માંગ
રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખનું આપ અંગે નિવેદન
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 16, 2022 | 3:58 PM

રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના (Rajkot Chamber of Commerce ) પ્રમુખ વી.પી.વૈષ્ણવે ગત રોજ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  સાથે દિલ્લીમાં મુલાકાત કરી હતી. આ અંગે ચેમ્બરના પ્રમુખ  વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે  હોદ્દેદારોએ GSTમાં વિસંગતતા, GST સંકલન સમિતીની રચના, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવા સહિતની રજૂઆત કરી હતી.

 ચેમ્બર ઓફ કોર્મસના સભ્યોએ કરી દિલ્લીમાં અમિત શાહ સાથે મુલાકાત

નોંધનીય છે કે  વેપારીઓના પડતર પ્રશ્નોને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ દિલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  સાથે  દિલ્લીમાં મુલાકાત કરી હતી. આ અંગે ચેમ્બરના પ્રમુખ  વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે  હોદ્દેદારોએ GSTમાં વિસંગતતા, GST સંકલન સમિતીની રચના, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવા સહિતની રજૂઆત કરી હતી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે  GSTની સમસ્યાનું  અંગેનું નિરાકરણ લાવવા હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આજે  ચૂંટણીપંચ રાજકોટની મુલાકાતે

કેન્દ્રીય ચૂંટણી પંચની (Central Election Commission) ટીમ આજે તમામ કામોને આખરી ઓપ આપવા આજે ગુજરાત પ્રવાસે છે. રાજકોટથી (Rajkot)તેમના ગુજરાત પ્રવાસની શરુઆત થવાની છે. રાજકોટમાં બપોરે 2 કલાક પછી ચૂંટણી પંચનું આગમન થશે. ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં જિલ્લાના અધિકારીઓ સાથે તે બેઠક કરશે. રાજકોટમાં રાજકોટ સિવાય અન્ય છ જિલ્લાની બેઠક યોજાશે.

રાજકોટમાં જે છથી વધુ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાવાની છે તેમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહેવાના છે.આ બેઠકમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેટલો સ્ટાફ રહેશે, સંવેદનશીલ મલદાન મથકો, સુરક્ષા વ્યવસ્થાઓ, ઇવીએમ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણીને લઇને જે પણ કામગીરી રહેશે તે તમામની સમીક્ષા કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા કરવામાં આવશે. રાજકોટ બાદ આવતીકાલે સુરતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે. જેમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">