‘જતીન સોની સામે ફોજદારી કાર્યવાહી કરો’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ મામલે NSUIનું હલ્લાબોલ

જતીન સોનીને શારિરીક શિક્ષણનો ચાર્જ પણ છોડાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. એનએસયુઆઈએ આ કૌભાંડમાં કુલપતિ અને ઉપકુલપતિ પણ સંડોવાયેલા હોવાથી જતીન સોનીને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

'જતીન સોની સામે ફોજદારી કાર્યવાહી કરો', સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કથિત માટી કૌભાંડ મામલે NSUIનું હલ્લાબોલ
NSUI demands criminal action in alleged soil scam at Saurashtra University
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 27, 2021 | 5:15 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ના કથિત માટી કૌભાંડ (Soil Scam)ને લઈને રજીસ્ટ્રાર જતીન સોની (Jatin Soni)એ રાજીનામું આપ્યા બાદ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરીને ફોજદારી કેસ દાખલ કરવાની માંગ સાથે એનએસયુઆઈ (NSUI)એ વિરોધ કર્યો હતો. એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે આક્ષેપ કરતા કહ્યું હતું કે સામાન્ય રીતે યુનિવર્સિટીના કોઈ કર્મચચારી પર તપાસ ચાલતી હોય તો તેઓ રજા પર ન ઉતરી શકે, પરંતુ જતીન સોની ચાલુ તપાસે રાજીનામું પણ આપ્યું અને રજા પર પણ ઉતરી ગયા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ત્યારે જતીન સોનીને શારિરીક શિક્ષણનો ચાર્જ પણ છોડાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. એનએસયુઆઈએ આ કૌભાંડમાં કુલપતિ અને ઉપકુલપતિ પણ સંડોવાયેલા હોવાથી જતીન સોનીને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. એનએસયુઆઈએ જતીન સોનીને શારિરીક શિક્ષણ વિભાગના ચાર્જમાંથી પણ દૂર કરવાની માંગ કરી હતી.

માટી કૌભાંડની તપાસ કમિટીને પણ કરી રજૂઆત

એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તપાસ કમિટીને પોતાની રજૂઆત કરી હતી. સિન્ડીકેટ હોલમાં ચાલી રહેલી તપાસ કમિટીની બેઠકમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પ્રવેશ કરીને કમિટીને આ અંગે તટસ્થ રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું હતુ અને કમિટીના સભ્યોને ચીમકી આપતા કહ્યું હતુ કે જો જતીન સોનીને છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

જતીન સોનીના બચાવમાં જોવા મળ્યા કુલપતિ ડો.નિતીન પેથાણી

કથિત માટી કૌભાંડની તપાસમાં કુલપતિ ડો.નિતીન પેથાણી જતીન સોનીનો બચાવ કરતા જોવા મળ્યા હતા. ડો પેથાણીએ બચાવ કરતા કહ્યું હતુ કે જતીન સોનીએ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે. યુનિવર્સિટીના કોઈ કર્મચારીને પદ પર રહેવા દબાણ કરી શકાય નહીં. તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કોઈ કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: PORBANDAR : ભાદર ડેમના પાણી સમુદ્રમાં જતા અટકાવવા ખેડૂતોની કવાયત, ડેમના બે દરવાજા બંધ કરવાની કામગીરી

આ પણ વાંચો: Rajkot: સગર્ભા મહિલાની પૂર્વ પતિએ કરી હત્યા, હત્યા કરી ફરાર આરોપીને રાહદારીએ પકડી પાડ્યો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">