Gujarat Assembly Election 2022 : AAPની પ્રથમ યાદીમાં રાજકોટની બે વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર,જાણો આ બંન્ને ઉમેદવારો કોણ છે ?
ગુજરાતમાં(Gujarat) આમ આદમી પાર્ટી(AAP) દ્રારા આજે વિધાનસભા 2022ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયાનું નામ જાહેર કરાયું છે
ગુજરાતમાં(Gujarat) આમ આદમી પાર્ટી(AAP) દ્રારા આજે વિધાનસભા 2022ની(Gujarat Assembly Election 2022) ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં બે નામો જાહેર કરવામાં આવ્યા છે.રાજકોટ દક્ષિણ બેઠક પર શિવલાલ બારસિયા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર વશરામ સાગઠિયાનું નામ જાહેર કરાયું છે.આ બંનેના નામ જાહેર થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે.
કોણ છે શિવલાલ બારસિયા ?
રાજકોટ દક્ષિણ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે શિવલાલ બારસિયાના નામની જાહેરાત કરી છે. શિવલાલ બારસિયા મૂળ ગોંડલ તાલુકાના ગુંદાસરાના વતની છે.તેઓ લેઉવા પટેલ છે.શિવલાલ બારસિયા વર્ષોથી વેપારીએના પ્રશ્નોને વાચા આપે છે.શિવલાલ બારસિયા વર્ષ 1982 થી તેઓ રાજકોટ આવ્યા હતા.ધોરણ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને એસ્ટ્રોન સિનેમામાં સાયકલ ગોઠવવાનો વ્યવસાય કરતા હતા.બાદમાં તેઓ અગ્રગણ્ય વેપારી તરીકે પોતાની કારકિર્દી બનાવી છે.શિવલાલ બારસિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં બોર્ડ ઓફ ડિરેક્ટર છે.તેઓ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે પણ ઘરોબો ધરાવે છે.ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓએ આપ માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેનો પરાજય થયો છે.
અમારો વિસ્તારમાં મધ્યમવર્ગીય છે તેના પ્રશ્નોને વાચા આપીશું-શિવલાલ
શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે આપ દ્રારા મારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તે આવકાર્ય છે.મારો વિધાનસભા વિસ્તારમાં મધ્યમ વર્ગ રહે છે ત્યારે આપ પાર્ટીના દિલ્લી મોડેલ સારૂ આરોગ્ય,શિક્ષણ અને ફ્રી વીજળી સહિતના પ્રશ્નોને હલ કરીશું
કોણ છે વશરામ સાગઠિયા ?
રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામનો રહેવાસી છે.દલિત આગેવાન તરીકેની છાપ ધરાવે છે.વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલા તેઓ કોંગ્રસમાં હતા અને આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા.વશરામ સાગઠિયા હાલમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે.તેઓ અગાઉ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.
લોકો વચ્ચે જશું,પ્રશ્નો સાંભળશું -વશરામ સાગઠિયા
વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે વહેલું નામ જાહેર થવાને કારણે પ્રચાર કરવાનો સમય મળશે.અમારી ટીમ લોકો વચ્ચે જઇ રહી છે અને ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નનોનો સર્વે કરી રહ્યા છે.આ સર્વેના આધારે અમે લોકોની વચ્ચે જશું અને આપ ની સરકાર આવે તે ધ્યેય સાથે અમે આગળ વધીશું.