AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દૂષિત, ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર

Rajkot News: ધોરાજીના ખેડૂતો કેનાલમાંથી આવી રહેલા દૂષિત પાણીને ખેડૂતો ચિંતામાં છે, સ્વાભાવિક જ છે કેમકે ખેડૂતોનો હજારો હેકટરનો પાક જોખમમાં છે. સિંચાઇ વિભાગની બેદરકારી છે અને કેનાલ સફાઈ માટે ખેડૂતો જાતે ટાંચા સાધનો લઈને જીવના જોખમે મેદાનમાં ઉતરવું પડે છે.

Rajkot : ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દૂષિત, ખેડૂતો જાતે કેનાલમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 11:44 AM
Share

રાજકોટ જિલ્લાના ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દુષિત છે. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. કેનાલનું પાણી એટલું દુષિત છે કે પિયત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. અંદર ઉગી નીકળેલું ઘાસ, કચરો બધું જ આપણને દેખાય છે પણ સિંચાઈ વિભાગના અધિકારીઓને એ નથી દેખાતું. જેના કારણે ધોરાજી વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

ધોરાજી પંથકના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. એ માટે ધોરાજી સિંચાઈ વિભાગ દ્વારા ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ કેનાલ સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલ એટલી હદે દૂષિત છે કે તેમાં ઝાડી ઝાંખરા અને વૃક્ષોના પાંદડા સહિત પ્લાસ્ટિક પ્રતિબંધિત જથ્થો પણ જોવા મળી રહ્યો છે. જેને કારણે પાણી દુષિત થયું છે અને જો આ પાણી પાકને પિયત માટે આપવામાં આવે તો પાકને નુકસાન થાય એમ છે.

ધોરાજીના ખેડૂતો કેનાલમાંથી આવી રહેલા દૂષિત પાણીને ખેડૂતો ચિંતામાં છે, સ્વાભાવિક જ છે કેમકે ખેડૂતોનો હજારો હેકટરનો પાક જોખમમાં છે. સિંચાઇ વિભાગની બેદરકારી છે અને કેનાલ સફાઈ માટે ખેડૂતો જાતે ટાંચા સાધનો લઈને જીવના જોખમે મેદાનમાં ઉતરવું પડે છે. જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર આ ખેડૂતોને આપણે જોઈ શકીએ છીએ. છતાં સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એન.સી.ખોરસીયાના હિસાબે તો ઓલ ઈઝ વેલ છે. કેનાલની સફાઈ થઈ ચુકી છે.

ભાદર 2ના અધિકારીઓનું તો કહેવું છે કે કેનાલને યોગ્ય સમયે સાફ કરવામાં આવી છે. સફાઈનું કામ પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી વહેવડાવામાં આવ્યું છે, અને 20 લાખ રૂપિયાના ખર્ચે કેનાલની સફાઈ કરી દેવાઈ છે. જો કે સવાલ એ થાય કે, કેનાલની સફાઈ વગર પાણી કેમ છોડવામાં આવ્યું છે. શું ખેડૂતોને પિયતમાં થનારા નુકસાનની કોઈને નથી પડી ? ત્યારે સરકારી દાવાઓ અને વાતો સામે કેનાલના આ દ્રશ્યો બધી જ પોલ ખોલી નાખે છે ત્યારે હવે આવા વિભાગ અને અધિકારીઓ સામે સરકાર નક્કર કામગીરી કરે તેવી ખેડૂતોની માગ છે.

(વિથ ઇનપુટ-હુસેન કુરેશી, ધોરાજી, રાજકોટ)

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">