AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ડિવિઝનમાં 17 જાન્યુઆરીએ થશે ડબલ ટ્રેકનું કામ, રેલ ટ્રાફિકને પડશે અસર

Railway News : ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન આ કામને લીધે મોડી ઉપડશે. આથી તંત્રએ મુસાફરોને જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.

રાજકોટ ડિવિઝનમાં 17 જાન્યુઆરીએ થશે ડબલ ટ્રેકનું કામ, રેલ ટ્રાફિકને પડશે અસર
ડબલ ટ્રેકના કારણે થશે ટ્રેન સેવાને અસર
Darshal Raval
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:00 PM
Share

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે લેવાયેલ બ્લોકને હવે વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે. અગાઉ બ્લોકને 4 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી રાખવામાં આવ્યો હતો. જો કે હવે 17 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન આ કામને લીધે મોડી ઉપડશે. આથી તંત્રએ મુસાફરોને જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે .જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. સૌરાષ્ટ્રમાં રાજકોટ ડિવિઝનમાં ડબલિંગની કામગીરીને કારણે રેલ ટ્રાફિકને અસર થશે

અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

  •  ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ જે અગાઉ 15.01.2023 સુધી રદ કરવામાં આવી હતી તે હવે 16.01.2023 સુધી પણ રદ રહેશે.
  • ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જે અગાઉ 16.01.2023 સુધી રદ કરવામાં આવી હતી તે હવે 17.01.2023 સુધી પણ રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  •  ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 15.01.2023 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશ. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસને 15.01.2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 16.01.2023ના રોજ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 16.01.2023 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન હવે વધુ એક દિવસ માટે વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે તંત્રની અપીલ : રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Follow Us
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
અમદાવાદમાં પાણીપુરીથી લઈને ઘી સુધીના નમૂનાઓ અખાદ્ય જાહેર
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા થતા ઘરખર્ચ પર ભાર, જુઓ Video
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
રમૂજ વર્તનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ બનશે, તમને નોકરીમાં પ્રોત્સાહન મળશે
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">