Rajkot : દિવાળીની ઉજવણી મોંઘી બનશે, ફટાકડાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો

આ વખતના તહેવારો ઉજવવા મધ્યમ વર્ગને ખુબ જ મોંઘા પડવાના છે. ખાદ્યતેલ હોય કે અનાજ અને કઠોળ. ગત વર્ષની સરખામણીએ ભાવ આસમને છે. તેલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા ભાવમાં વધારો તો કઠોળ અનાજમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે.

Rajkot : દિવાળીની ઉજવણી મોંઘી બનશે, ફટાકડાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો
Rajkot: Diwali celebrations will become more expensive, with the price of fireworks going up by 10 to 15 per cent
Follow Us:
Nidhi Bhatt
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:02 PM

સામાન્ય લોકો માટે આ વર્ષે દિવાળીની ઉજવણી મોંઘી બનશે. ફટાકડાના ભાવમાં વિવિધ કારણોસર ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. તેમ છતાં કોરોનાની લહેર ધીમી પડતા વ્યાપારીઓ સારો વેપાર થાવાની આશા રાખી રહ્યા છે.

ગત વર્ષ કરતાં ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારો, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસરને કારણે વધ્યા છે ભાવ, કોરોના ધીમો પડતા લોકો બજારમાં ખરીદી કરવા નીકળશે તેવી આશા

દિવાળીમાં મીઠાઈ અને ડ્રાય ફ્રુટની સાથે સાથે ફટાકડાનું પણ સારું એવું વેચાણ થતું હોય છે. પરંતુ ગત વર્ષની તુલનામાં ફટાકડાના ભાવમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર દરેક જગ્યાએ પડી છે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને મોંઘવારી વધવાથી ફટાકડા મોંઘા બન્યા છે. તેવું વ્યાપારીઓ નું કહેવું છે. જો ભાવ પર નજર કરીએ તો,

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફટાકડા              ગતવર્ષ              આ વર્ષ

ફુલઝર                  5                       8 ચકરી                   40                     60-70 (box) પોપ પોપ              5                       10 મોટા બોમ્બ        60 -70(box)   100 શંભુ                     15                      20

જોવા મળી રહ્યા છે. હાલ કોરોના કાબૂમાં આવ્યો છે. પ્રતિબંધો હળવા બન્યા છે. ત્યારે વ્યાપારીઓ પણ સારા વ્યાપારની આશા રાખી રહ્યા છે. લોકો પણ હવે બજારમાં ખરીદી કરવા નીકળશે તેવી આશા રાખી રહ્યા છે.

આ વર્ષે મોટા ફટાકડાં માં કોઈ નવી વેરાયટી આવી નથી. પરંતુ નાના બાળકો માટેના ઘણા નવા ફટાકડા બજારમાં જોવા મળી રહ્યા છે. સાતમ-આઠમ અને નવરાત્રિ જેવા તહેવારો લોકોએ સામાન્ય પ્રતિબંધો હેઠળ ઉજવ્યા છે. ત્યારે હાલ કોરોનાની લહેર ધીમી પડતા લોકો દિવાળી ઉત્સાહથી ઉજવશે અને વ્યાપાર સારો થશે. અને બજારની રોનક પાછી ફરશે. તેવી વ્યાપારીઓને પણ આશા છે.

આ વખતના તહેવારો ઉજવવા મધ્યમ વર્ગને ખુબ જ મોંઘા પડવાના છે. ખાદ્યતેલ હોય કે અનાજ અને કઠોળ. ગત વર્ષની સરખામણીએ ભાવ આસમાને છે. તેલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા ભાવમાં વધારો તો કઠોળ અનાજમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો : BANASKANTHA : જિલ્લાના 3 જળાશયોમાં પાણીનો અપૂરતો જથ્થો, સિંચાઇ-પીવાના પાણીની સમસ્યાને લઇને સવાલો

આ પણ વાંચો : S Jaishankar Israel Visit: વિદેશપ્રધાન એસ.જયશંકરે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">