RAJKOT : પૂર્વ CM રૂપાણીનું કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાળવ્યું માન, કહ્યું- પહેલા રૂપાણીનું કરો સન્માન
રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલું સ્વાગત વિજય રૂપાણીનું કરવાનું કહેતા વિજય રૂપાણી મંચ પર ઉભા થયા હતા. અને તેમણે કહ્યું હતું કે રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી તરીકે આપણા ગામમાં આવ્યા છે. ત્યારે આપણે તેમનું સ્વાગત કરવું જોઇએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે રાજ્યભરમાં-ગરીબોના બેલી- કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી હતા. જેથી વહીવટી વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ રાજેન્દ્ર ત્રિવેદીના સ્વાગતની જાહેરાત કરી હતી.
ત્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રથમ સ્વાગત વિજય રૂપાણીનું કરવા માટે કહ્યું હતું. ત્યારે વિજય રૂપાણીએ ઉભા થઇને રાજેન્દ્ર ત્રિવેદીનું પહેલા સ્વાગત કરીને પ્રોટોકોલ જાળવવા કહ્યું હતું. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વિજય રૂપાણી મારા વડિલ અને પિતાતૂલ્ય છે. ત્યારે તેનું પ્રથમ સ્વાગત કરવું જોઇએ. પરંતુ તેના આદેશને માન આપીને મારૂં સ્વાગત પ્રથમ થયું છે.
કેબિનેટ મંત્રી આપણા ગામમાં આવ્યા છે પહેલું સ્વાગત તેમનું-રૂપાણી
રાજેન્દ્ર ત્રિવેદીએ પહેલું સ્વાગત વિજય રૂપાણીનું કરવાનું કહેતા વિજય રૂપાણી મંચ પર ઉભા થયા હતા. અને તેમણે કહ્યું હતું કે રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી તરીકે આપણા ગામમાં આવ્યા છે. ત્યારે આપણે તેમનું સ્વાગત કરવું જોઇએ.વિજય રૂપાણીએ નવા મંત્રીમંડળના પ્રથમ કાર્યક્રમની શુભકામના પાઠવી હતી. અને નવી ટીમ નવી ઉર્જા,નવા વાતાવરણ સાથે કામ કરશે તેવી શુભકામના પાઠવી હતી.
વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત રાજકોટમાં
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત તેઓ ગુરૂવારે રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણી તેમની રાજકોટની મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. વિજય રૂપાણીએ રાજકોટની મુલાકાત અંગે કહ્યું હતુ કે નવા પ્રધાનમંડળની શપથવિધી પૂરી કરીને જવાબદારી પુરી કરીને રાજકોટ આવ્યો છું.
નોંધનીય છેકે ગુરુવારે નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના થઇ ગઇ છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓને પડતા મુકી નવા ચહેરોઓને સ્થાન અપાયું છે.
આ પણ વાંચો : બટાકાના ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, બમ્પર ઉત્પાદન માટે બટાકાની આ જાતોનું વાવેતર કરો
આ પણ વાંચો : Shocking! અમેરિકામાં જો બાઈડનના વતનમાં લાગ્યા પોસ્ટરો, Making the Taliban great again સુત્ર યાદ કરાવ્યું