અમદાવાદમાં ઉતરાયણની તૈયારીઓ, અવનવા જાગૃતિના સંદેશ સાથે પતંગોનું ઉત્પાદન શરૂ
અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા […]
અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ ઉજવાશે કે નહીં તેને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. પરંતુ પતંગ બનાવતા ઉદ્યોગકારોએ જુદા-જુદા પતંગોનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ વખતે કોરોના અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. લોકો કોરોનાની ઝપેટમાં ન આવે તે માટે જુદા જુદા નિયમો લખેલા રંગબેરંગી પતંગોનું ઉત્પાદન થઈ રહ્યું છે. પતંગ બનાવનારનું કહેવું છેકે લોકો જાગૃત થાય અને કોરોનાનું સંક્રમણ ઘટે તે જ તેમનો ઉદ્દેશ છે. સાથે જ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને આત્મનિર્ભર બનવાનો સંદેશ પણ પતંગ પર પાઠવાયો છે.