Porbandar: પાડાને વાંકે પખાલીને ડામ, તંત્રની ભૂલ અને ભોગવશે ખેડૂતો, જાણો સમગ્ર વિગતો

પોરબંદરમાં (Porbanadar) ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઘેડ પંથક પાણીમાં તરબોળ થઈ ગયો છે અને ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તેનું ધોવાણ થઈ ગયું છે. જગતના તાતનો પરિશ્રમ એળે ગયો છે કારણ કે, વહીવટી તંત્રએ પાળા બનાવ્યા જ નહોતા.

Porbandar: પાડાને વાંકે પખાલીને ડામ, તંત્રની ભૂલ અને ભોગવશે ખેડૂતો, જાણો સમગ્ર વિગતો
Heavy rains in Ghed panth of Porbandar caused devastation,It is the turn of farmers to suffer extensive damage to their crops
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 5:36 PM

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહીછે અને તે પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે. તેમ છતાં પોરબંદર(Porbandar)ના તંત્રએ દરિયાની પાળીનું લેવલ કરવાનું કામ પૂર્ણ કર્યું ન હતું અને તેનો ભોગ ખેડૂતો (Farmer)બન્યા છે. પોરબંદરમાં વરસાદ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીને કારણે ઘેડ પંથકના કેટલાક ગામોના ખેતરમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ છે અને ઘેડ પંથકના તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા વાવણી કરેલો પાક ધોવાયો હતો અને દરિયામાં તણાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ બન્યું છે ત્યારે વરસાદના કારણે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

વહીવટીતંત્ર હજી કુંભકર્ણની નિદ્રામાં

વરસાદની આગાહી થઈ ત્યારે વહીવટી તંત્રએ દરિયાની રેતીની પાળનું લેવલ કરવાનું હતું જે કામ થયું નહોતું. આ ગંભીર ભૂલનો ભોગ ખેડૂતો બન્યા છે અને તેમનો પાક ધોવાઈને દરિયા ભેગો થઈ જતા જગતના તાતનો પરિશ્રમ એળે ગયો હતો. કારણ કે પાળનું લેવલ ન થતા ઘેડ પંથકના ગામોમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા. જેને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ તેમની વ્યથા ઠાલવી છે કે અતિશય મહેનત કરીને કરેલી વાવાણી પાળા ન બનાવવાને કારણે વ્યર્થ ઘઈ છે અને ખેડૂતોનો સમય  તો વ્યય થયો છે, સાથે સાથે આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

દરમિયાન પોરબંદર શહેરમાં પણ નગરપાલિકાની પોલ ખોલનારા દ્રશ્યો સામે આવ્યા છે. નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આજે એક યુવક 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. શહેરના ખાદી ભવન વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજની કામગીરી દરમિયાન રાહદારી ઊંડા ખાડામાં ખાબકતાં લોકોએ તેને બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નગરપાલિકાએ કામ તો શરૂ કર્યું પરંતુ વ્યવસ્થિત રીતે બેરિકેડ નહોતા મૂકવામાં આવ્યા જેને કારણે આ યુવક ખાડામાં પડી ગયો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહત્વની બાબત એ છે કે બેરિકેડ બાબતે પાલિકાનું ધ્યાન દોરવા છતાં યોગ્ય કામગીરી ન થવાથી યુવક ખાડામાં પડી ગયો. તો બીજી તરફ અનરાધાર વરસાદને પગલે શહેરના સુદામા ચોક, એમજી રોડ, એસવીપી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને અરબી સમુદ્રમાં પણ કરંટ જોવા મળ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">