Porbandar: હોટેલ માલિકની ધનદોલત નહીં પરંતુ માનવતાને આપ્યું પ્રાધાન્ય

પોરબંદર (Porbandar) કોરોના મહામારીમાં લોકો એકબીજાથી દુર ભાગી રહ્યા છે. મિનિલોકડાઉન જેવી સ્થિતિ છે. લોકોને જમવાની મુશ્કેલી ના પડે તેથી રેસ્ટોરેન્ટ માલિકોએ નિઃશુલ્ક પાર્સલ સેવા દર્દીઓ અને સગા માટે વ્યવસ્થા શરૂ કરી છે.જેનો લાભ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ લઈ રહ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 10, 2021 | 8:57 AM

પોરબંદર (Porbandar) કોરોના મહામારીમાં લોકો એકબીજાથી દુર ભાગી રહ્યા છે. મિનિલોકડાઉન જેવી સ્થિતિ છે. લોકોને જમવાની મુશ્કેલી ના પડે તેથી રેસ્ટોરેન્ટ માલિકોએ નિઃશુલ્ક પાર્સલ સેવા દર્દીઓ અને સગા માટે વ્યવસ્થા શરૂ કરી છે.જેનો લાભ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ લઈ રહ્યા છે.

પોરબંદર હોટલ અને રેસ્ટોરેન્ટ માલિકોએ પોતાની માનવતા મહેકાવી છે.કોરોના કાળમાં હોસ્પિટલો માં સારવાર લેતા દર્દીઓ અને તેમની સાથેના સંબંધીઓને હોટલો માંથી નિઃશુલ્ક પાર્સલ આપવાની સેવા કરી રહ્યા છે.કોરોના મહામારી કોઈ સ્વાર્થ વગર જન સેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે.

હાલની કોરોના મહામારીની સ્થિતિમાં લોકો અન્ય જિલ્લામાંથી સારવાર લેવા પોરબંદર આવી રહેલ છે. અહીં મીની લોકડાઉન છે લોકો જમવા માટે હેરાન ના થાય તેથી ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ ભુખ્યાને ભોજન આપવાની અમારા વડીલોના સંસ્કારથી અમો નિઃશુલ્ક સેવા કરી એ છે બે દિવસ થી શરૂ કરેલી સેવામાં 150 જેટલા લોકો એ અમારી નિઃશુલ્ક સેવાનો લાભ લીધો છે પાર્સલ માં ચાર રોટલી.બે સાક દાળ ભાત વગેરે આપી એ છે અને દર્દીઓના આશિર્વાદ મેળવી એ છે

આજે બહારથી સારવાર લેવા આવતા દર્દીઓ એ તેમના સગા સંબંધીઓ ને દૂર સુધી જમવા લેવા જવાનું મુશ્કેલ પડતું હોય તેથી આજે હોટલ માલિકો એ જે સેવા શરૂ કરી છે તે સરાહનીય છે.

અહીં કંસાર હોટલમાં જે દર્દીઓને જમવાના પાર્સલ ની સુવિધા ઉપલબ્ધ શરૂ કરી છે તે હાલની સ્થિતિમાં ખૂબ સરાહનીય કામગીરી છે ભગવાન હોટલ માલિકોના નું આશ્યુષ્ય નિરોગી રહે તેવી પ્રાર્થના કરીએ છે

કોરોના સારવાર લેતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ હોટલ માલિકોની ટિફિન સેવાથી ખુશ થઈ રહ્યા છે અને આજની કપરી પરિસ્થિતિમાં ધનદોલત નહીં માનવતા મહેકાવનારને આશીર્વાદ આપી રહ્યા છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">