
શ્રમિકો આ ફળને તોડીને તેને વેચીને રોજીરોટી કમાય છે. ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તે સૌથી વધારે વેચાય છે. હાલના સમયમાં ગલેલીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે 100 રૂપિયા ડઝન વેચાય છે. છતાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

ગલેલીમાં ઘણા પોષકતત્વો હોય છે. તે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. તે ઘણા રોગોમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તે ખાવામાં મીઠા પાણી જેવું લાગતું હોય લોકો તેને પસંદ કરે છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શકિત વધારવા પણ લોકો તે ખાવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.
Published On - 9:42 pm, Mon, 10 May 21