Photo: કાળઝાળ ગરમીમાં ઠંડક આપતા ફળ, ઈમ્યુનિટી બુસ્ટર એવા ગલેલીના ફળના ભાવ આસમાને

|

May 10, 2021 | 9:43 PM

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં હવે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ગલેલીનું ફળ જાણે રામબાણ ઈલાજ બન્યું છે. સાથે સાથે સુરતમાં પણ ગલેલીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે.

1 / 5
શહેર બાદ હવે અંતરિયાળ ગામડાઓમાં કોરોનાએ પગપેસારો શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ અને ગામડાઓમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ગલેલીનું ફ્રુટ કોરોના સામે લડવા ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થઈ રહ્યું છે.

શહેર બાદ હવે અંતરિયાળ ગામડાઓમાં કોરોનાએ પગપેસારો શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ અને ગામડાઓમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ગલેલીનું ફ્રુટ કોરોના સામે લડવા ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થઈ રહ્યું છે.

2 / 5
સુરત નજીક આવેલા નવસારીના ગણદેવી તાલુકામાં ગરમીની શરૂઆત થવાની સાથે કોરોનાએ પણ માથું ઊંચક્યું છે. ત્યારે ત્યાંના સ્થાનિકોએ ગરમીમાં તરસ છીપાવવા અને કોરોના સામે રક્ષણ મેળવવા નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. અને તે છે ગલેલી.

સુરત નજીક આવેલા નવસારીના ગણદેવી તાલુકામાં ગરમીની શરૂઆત થવાની સાથે કોરોનાએ પણ માથું ઊંચક્યું છે. ત્યારે ત્યાંના સ્થાનિકોએ ગરમીમાં તરસ છીપાવવા અને કોરોના સામે રક્ષણ મેળવવા નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. અને તે છે ગલેલી.

3 / 5
ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે. તે સુરત જિલ્લાના ઓલપાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં જોવા મળે છે. ત્યાંથી આ ફળ તોડીને સુરત, નવસારી, વલસાડ, ગણદેવી અને વાપીમાં વહેંચવામાં આવે છે.

ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે. તે સુરત જિલ્લાના ઓલપાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં જોવા મળે છે. ત્યાંથી આ ફળ તોડીને સુરત, નવસારી, વલસાડ, ગણદેવી અને વાપીમાં વહેંચવામાં આવે છે.

4 / 5

શ્રમિકો આ ફળને તોડીને તેને વેચીને રોજીરોટી કમાય છે. ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તે સૌથી વધારે વેચાય છે. હાલના સમયમાં ગલેલીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે 100 રૂપિયા ડઝન વેચાય છે. છતાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

શ્રમિકો આ ફળને તોડીને તેને વેચીને રોજીરોટી કમાય છે. ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તે સૌથી વધારે વેચાય છે. હાલના સમયમાં ગલેલીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે 100 રૂપિયા ડઝન વેચાય છે. છતાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

5 / 5

ગલેલીમાં ઘણા પોષકતત્વો હોય છે. તે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. તે ઘણા રોગોમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તે ખાવામાં મીઠા પાણી જેવું લાગતું હોય લોકો તેને પસંદ કરે છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શકિત વધારવા પણ લોકો તે ખાવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.

ગલેલીમાં ઘણા પોષકતત્વો હોય છે. તે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. તે ઘણા રોગોમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તે ખાવામાં મીઠા પાણી જેવું લાગતું હોય લોકો તેને પસંદ કરે છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શકિત વધારવા પણ લોકો તે ખાવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.

Published On - 9:42 pm, Mon, 10 May 21

Next Photo Gallery