AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓેને આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરી

સરકારી કર્મચારીઓ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021થી જ લાગુ થવાનું ગણવામાં આવશે.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓેને આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાની જાહેરાત કરી
Gujarat govt increases dearness allowance by 3 percent for it's employees
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 12:43 PM
Share

1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) રાજ્યકક્ષાની ઉજવણી પાટણ (Patan) જિલ્લામાં કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપી. આ સાથે જ તેમણે ગુજરાત સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (dearness allowance ) 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ફાયદો થશે.

સરકારી કર્મચારીઓ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021થી જ લાગુ થવાનું ગણવામાં આવશે. આ નિર્ણય બાદ 1 જુલાઇ 2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારો દસ મહિનાની એરિયર્સની રકમ સાથે આપવાની જાહેરાત કરી છે. આ રકમ બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1217.44 કરોડનું નાણાકીય ભારણ વધશે.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સીએમ ભુપેન્દ્ર પટેલે પાટણમાં સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યુ. સાથે જ પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપી. મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યુ કે રાજ્યમાં આઠ સ્થળોએ રિઝનલ સાયન્સ સેન્ટર બનશે. આઠમાંથી ચાર સાયન્સ સેન્ટર તૈયાર થઇ ચૂક્યા છે. તેમણે એમ પણ જણાવ્યુ કે ભુજ, ભાવનગર અને કચ્છનું સાયન્સ સેન્ટરનું 95 ટકા પૂર્ણ થયુ છે. એક વર્ષમાં બાકીના તમામ સેન્ટરોનું ઉદ્ધાટન થશે.

આ પણ વાંચો-Gujarat Assembly elections 2022: આપના રાષ્ટ્રીય પ્રમુખ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે, ભરુચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધશે

આ પણ વાંચો-જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">