Panchmahal: ભરત સોલંકીએ રાજકીય સન્યાસ નથી લીધો, માત્ર બ્રેક લીધો છે, પક્ષને બચાવવા પગલુ લીધુ: જગદીશ ઠાકોર

ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કોંગ્રેસ પક્ષમાંથી થોડા સમય માટે લીધેલી બ્રેક મામલે કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે ગરીબ સમાજોના સંગઠનમાં કામ કરવાની ભરતસિંહે તૈયારી બતાવી છે.

Panchmahal: ભરત સોલંકીએ રાજકીય સન્યાસ નથી લીધો, માત્ર બ્રેક લીધો છે, પક્ષને બચાવવા પગલુ લીધુ: જગદીશ ઠાકોર
Jagdish Thakor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 7:14 PM

કોંગ્રેસના (Congress) ભરતસિંહ સોલંકીને (Bharatsinh Solanki) લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakore) પ્રતિક્રિયા આપી છે. હાલોલના ભાટ ગામે કોંગ્રેસ પક્ષના કાર્યક્રમમાં હાજર રહેલા જગદીશ ઠાકોરે જણાવ્યું કે ભરતભાઈએ પાર્ટીને બચાવવા માટે આ મોટો નિર્ણય લીધો છે, ભરતભાઈએ રાજકીય સન્યાસ નથી લીધો, માત્ર બ્રેક લીધો છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ કે, તેમને વ્યક્તિગત રીતે ભરતસિંહ સાથે કોઇ ચર્ચા નથી થઇ.

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષમાંથી થોડા સમય માટે લીધેલી બ્રેક મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે ગરીબ સમાજોના સંગઠનમાં કામ કરવાની ભરતસિંહે તૈયારી બતાવી છે. પક્ષને કોઇ નુકસાન ન થાય તે માટે પોતાનો રાજકારણમાં બ્રેક લેવાનો નિર્ણય તેમણે તેમની રીતે લીધો છે.

જગદીશ ઠાકોરે જણાવ્યુ કે તેમને વ્યક્તિગત રીતે ભરતસિંહ સાથે કોઇ ચર્ચા નથી થઇ. પણ તેમને મળીને ચર્ચાઓ કરીશુ. જે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો, કોંગ્રેસના નેતાઓની વિશ્વસનીયતા તોડી અને એક લીડરશીપને ખતમ કરી રહ્યા છે, તે અંગેની વાત ભરતસિંહે જાહેરમાં પ્રેસને કરી છે. જગદીશ ઠાકોરે એમ પણ જણાવ્યુ કે, આ બધા મુદ્દાઓ પર કોંગ્રેસ જોઇ રહી છે. વીચારી રહી છે અને આગળ વધી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ચૂંટણી આવતા જ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના વિવાદોમાં સપડાયા છે. આ વચ્ચે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજનીતિમાંથી થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે હું બે-ચાર કે છ મહિના સુધી રાજકારણથી દુર રહીશ અને ત્યારબાદ આગળનો નિર્ણય લઇશ.

જો કે ભરતસિંહે આ જાહેરાત સાથે એમ પણ જણાવ્યુ કે સામાજીક કામો જેમ કે ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, આદિવાસી, દલિત, લઘુમતિ કોમ તેમના પ્રચાર પ્રસારમાં આજે જે સમય આપ્યો છે, તેના કરતા વધુ સમય આપીશ. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ તમામ સ્થળે ફરી ત્યાંના યુવાનો ત્યાનાં સંગઠનોને એકઠા કરી એક મજબૂત તાકાત ઊભી કરવાનો પ્રયત્ન કરીશ.

ભરતસિંહ સોલંકીએ તેમને લઇને થતા વિવાદોને રાજકીય સંડોવણી જણાવી છે. તેમણે જણાવ્યુ કે અમારા પરિવારને વર્ષોથી ગરીબ, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ દ્વારા ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ મળતા રહ્યા છે. ત્યારે કેમ કરીને ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીને નીચા પાડે તો ઓટોમેટીક રાજકીય રીતે બીજા પક્ષ આગળ આવી શકે તેનો પ્રયાસ છે. તેમણે કહ્યુ લોકોનું મન મોંઘવારી, બેકારીથી, પીવાના પાણીથી, ભ્રષ્ટાચારથી અને ગેરવહીવટથી હટાવવાનો આ પ્રયાસ છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">