પંચમહાલ: શહેરાના તત્કાલીન મામલતદાર પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલકોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આ આરોપ શહેરાના તત્કાલીન મામલતદાર મેહુલ ભરવાડ પર લાગ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:54 PM

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલકોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આ આરોપ શહેરાના તત્કાલીન મામલતદાર મેહુલ ભરવાડ પર લાગ્યા છે. 47 દુકાન સંચાલકો પાસેથી દુકાનદીઠ રૂપિયા 3700 રૂપિયા દર મહિને ઉઘરાવામાં આવતા હોવાના આરોપ લાગ્યા છે. કુલ રકમની વાત કરીએ તો દુકાન ધારકો પાસેથી મહિનાના 1.75 લાખ રૂપિયા વસુલવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગે દુકાન ધારકોએ સોગંદનામા સાથે ગૃહપ્રધાનને રજૂઆત કરી છે અને સાથે જ માંગ કરી છે કે, આ મામલાની તપાસ એસીબી દ્વારા કરવામાં આવે. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા જ મેહુલ ભરવાડની બદલી ડાંગ જિલ્લામાં થઈ છે.

નોંધનીય છેકે આ આરોપોને પગલે હાલ તો જિલ્લાભરમાં ભારે ચર્ચા જગાવી છે. અને, આ ભ્રષ્ટાચારના આરોપોને મામલે કડકમાં કડક કાર્યવાહીની માગ ઉઠી રહી છે. ત્યારે હવે તપાસ બાદ નવું શું સામે આવે છે તેના પર સૌ-કોઇની નજર રહેશે. કારણ કે આ અગાઉ પણ જિલ્લામાં ભ્રષ્ટાચારને લગતા અનેક બનાવો સામે આવી ગયા છે. ત્યારે લોકોને હવે આ મામલે યોગ્ય ન્યાય મળે તેવી આશા છે.

 

આ પણ વાંચો : Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ

આ પણ વાંચો : Foreign Exchange Reserves: આ અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો 91 લાખ ડોલરનો ઘટાડો, જાણો RBIના ખજાનામાં કેટલું બચ્યુ છે રીઝર્વ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">