Panchmahal : હાલોલમાં બે બાળકોના શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનો થશે ખુલાસો

પંચમહાલના હાલોલના આંબાવાડીયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરિવાર રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. વહેલી સવારે આકસ્મિક રીતે બંને બાળકોને ઊલટી થઇ હતી.

Panchmahal : હાલોલમાં બે બાળકોના શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનો થશે ખુલાસો
Panchmahal: Suspected death of two children in Halol, postmortem report reveals deaths
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 6:32 PM

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવાડીયા ગામમાં બે માસૂમ બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. આ ઘટનામાં સગા બે ભાઈઓ ચાર વર્ષનો શિવમ અને અઢી વર્ષના ચિંતનનું મોત થયું છે. પાવાગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને મૃતદેહોનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

બંને બાળકોને ઊલટી થયા બાદ સારવાર માટે ખસેડાયા હતા પંચમહાલના હાલોલના આંબાવાડીયા ગામના નાના ફળિયામાં રહેતા પરમાર પરિવાર રાત્રે જમી પરવારી સૂઈ ગયો હતો. વહેલી સવારે આકસ્મિક રીતે બંને બાળકોને ઊલટી થઇ હતી. બાદમાં બંને બાળકોની તબિયત લથડી હતી. જેથી બંને બાળકોને હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.ઘટનાના પગલે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અને મૃતક બાળકોના પરિવારે પેનલ પોસ્ટ મોર્ટમની માગ કરી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે પોલીસે બંને બાળકોના પેનલ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. બાળકોના મોતનું કારણ જાણવા પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.પાવાગઢ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને હાલોલ પંથકમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બંને બાળકોના મોતનું સાચું કારણ બહાર આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હાલ તો આ બંને બાળકોના મોતને લઇને આસપાસના વિસ્તારમાં તરેહતરેહની વાતો થઇ રહી છે. પરંતુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત મામલે ખુલાસો થશે. કે બિમારીને કારણે મોત થયું છેકે પછી અન્ય છે કોઇ કારણ ? તેની હવે રાહ જોવી રહી.

આ પણ વાંચો : દબાણ અને ગેરકાયદે બાંધકામ સામે AMCની મેગા ડ્રાઈવ, ત્રણ મહિનામાં 1100 કરોડના 28 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા

આ પણ વાંચો : Girsomnath : પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત, દેશનું સૌથી ભવ્ય “કમળ” આકારનું કાર્યાલય બનશે

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">