AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના સરદારનગરમાં સુરતની ગ્રીષ્મા જેવો બનાવ, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરીના ઘા ઝીંક્યા

યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે પરિણીતા પતિથી અલગ પિયરમાં રેહતી હતી. જે દરમિયાન તેની એક યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવક પરિણીતા સાથે લગ્ન કરવા માગતો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 12:05 PM
Share

એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું પગલું ભરી દેતા હોય છે કે, જીવનભર માટે પસ્તાવાનો વારો આવે છે. આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હોવા છતાં કેટલાક લોકો હજી પણ જાણે કે સુધારવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો વધુ એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. અમદાવાદના (Ahmedabad) સરદારનગરમાં સુરતની ગ્રીષ્મા જેવો બનાવ સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરી ઝીંક્યા છે.

આ પણ વાંચો-Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં, આ તારીખે જાહેર થશે પરિણામ

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં પરણિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા યુવતી તેના પતિથી થોડા સમયથી અલગ પોતાના પિયરમાં રહેતી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે દરમિયાન તેની આ યુવક સાથે ઓળખાણ થઇ હતી. યુવક પરણિતાના એક તરફી પ્રેમમાં હતો.

ઘટના કઇક એવી છે કે યુવક પરણિતાને પામવા માગતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. જો કે યુવતીના લગ્ન થઇ ગયા હતા. જેથી યુવતીને પામવા માટે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરણિતાના ગળા પર છરીના ઘા ઝીંક્યા હતા.સરદારનગર પોલીસે સમગ્ર ઘટના મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી તેના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયો હોવાની પણ એક ઘટના બની છે.   અમદાવાદના નિકોલમાં રહેતી પરિણીતા પોતાના બે સંતાનો સાથે સિંગરવા ખાતે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. જ્યાં તેનો પૂર્વ પ્રેમી અને પડોશમાં રહેતો પ્રકાશ દંતાણી નામનો શખ્સ મળ્યા હતા. આરોપીએ પરિણીતા અને તેના સંતાનોને બાઇક પર બેસાડી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યા હતા. બાદમાં બાપુનગર ખાતે પરિણીતા અને તેની પુત્રીને ઉતારી મારઝૂડ કરી તેના 13 મહિનાના પુત્રને લઇને આરોપી નાસી ગયો હતો.  પોલીસે બાળક સાથે અપહરણકાર પ્રકાશને રામોલમાંથી ઝડપી લીધો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">