અમદાવાદમાં બાબા બાગેશ્વર બે દિવસ યોજશે દિવ્ય દરબાર, મંડપ, સ્ટેજથી લઇને બેઠક વ્યવસ્થા આ પ્રકારે હશે ખાસ

Ahmedabad News : જે સ્થળે દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યાંના મંડપ, સ્ટેજથી લઇને બેઠક વ્યવસ્થા વિશેષ રુપે ધ્યાન આપીને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં બાબા બાગેશ્વર બે દિવસ યોજશે દિવ્ય દરબાર, મંડપ, સ્ટેજથી લઇને બેઠક વ્યવસ્થા આ પ્રકારે હશે ખાસ
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: May 17, 2023 | 2:49 PM

અમદાવાદના (Ahmedabad) ચાણક્યપુરીમાં 29 અને 30 મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) દરબાર મળવા જઈ રહ્યો છે. જેને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ખાસ બની રહેશે. કારણકે જે સ્થળે દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યાંના મંડપ, સ્ટેજથી લઇને બેઠક વ્યવસ્થા વિશેષ રુપે ધ્યાન આપીને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-Gujarati Video :સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઇને તૈયારીઓ શરૂ

મંડપ વિશેષ ટેકનોલોજીથી થશે તૈયાર

અમદાવાદના ચાણક્યપુરીમાં જર્મન ટેકનોલોજીથી મંડપ તૈયાર કરવામાં આવશે. 130 × 130નો મંડપ તૈયાર કરવામાં આવશે. તો આ મંડપમાં એક લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય અન્ય લોકો માટે એલઇડી સ્ક્રીન અને અલગ વ્યવસ્થા મુકવામાં આવશે. દરબારના સ્થળે 8 ફૂટની ઊંચાઈનું સ્ટેજ બનાવવામાં આવશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક જ સિંહાસન બનાવવામાં આવશે

દિવ્ય દરબારના સ્થળે સ્ટેજ પર માત્ર એક જ સિંહાસન બનાવવામાં આવશે. લાખોના ખર્ચે તૈયાર કરાતા આ સિંહાસન સિવાય સ્ટેજ પર કોઈ બેઠક વ્યવસ્થા નહીં કરાય. ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું સિંહાસન તૈયાર કરવામાં આવશે. સ્ટેજ પર કોઈપણ વ્યક્તિને એન્ટ્રી આપવામાં નહીં આવશે.

આ સ્થળ પર સ્ટેજ, મંડપ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે 2 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે. આયોજકો દ્વારા 500 બાઉન્સર સહિત 1500 સિક્યુરિટી સ્ટાફ કામ કરશે. તો સાથે જ પોલીસ સ્ટાફ પાસે અલગ વ્યવસ્થા માંગવામાં આવી છે.

આ રીતે શ્રદ્ધાળુઓ અરજી લગાવશે

બાબાના બે દિવસના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ દિવસે તેઓ શ્રદ્ધાળુઓની અરજી લગાવશે. બીજા દિવસે સામૂહિક અરજી લગાવીને વિભૂતિ વિતરણ કરશે. અરજી કેવી રીતે લગાવવાની હોય તેની વાત કરતા આયોજક પ્રમોદ મહારાજે કહ્યું કે- લોક દરબારમાં આવનાર શ્રદ્ધાળુઓએ બાબા તેમની અરજી સ્વીકારે તેવી મનમાં પ્રાર્થના કરવાની હોય છે અને બાબા સ્ટેજ પર બોલાવે તેની અરજીનો સ્વીકાર થયો ગણાશે. ત્યારબાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેના પ્રશ્નનો ઉકેલ સ્ટેજ ઉપર જ આપશે. આયોજકે દાવો કર્યો કે આમાં કોઈ પ્રકારનું સેટિંગ હોતું નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">