DyCM નીતિન પટેલને દિલ્લીના આંદોલનકારી ખેડૂતોએ મોકલી નોટિસ, ભાજપના 3 નેતા પર માનહાનિનો દાવો
દિલ્લી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ રાજ્યના DyCM નીતિન પટેલને નોટિસ મોકલાવી છે. નીતિન પટેલ સહિત 3 ભાજપ નેતાઓને નોટિસ મોકલાઈ છે. ખેડૂતોની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નાયબ મુખ્યપ્રધાન સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના 3 નેતાઓ કે જેમને નોટિસ મોકલાવાઈ છે. તેમાં નીતિન પટેલ સાથે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ અને ભાજપના પૂર્વ […]
દિલ્લી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ રાજ્યના DyCM નીતિન પટેલને નોટિસ મોકલાવી છે. નીતિન પટેલ સહિત 3 ભાજપ નેતાઓને નોટિસ મોકલાઈ છે. ખેડૂતોની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નાયબ મુખ્યપ્રધાન સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના 3 નેતાઓ કે જેમને નોટિસ મોકલાવાઈ છે. તેમાં નીતિન પટેલ સાથે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ અને ભાજપના પૂર્વ રાષ્ટ્રિય મહાસચિવ રામ માધવનો પણ સમાવેશ છે. મહત્વની વાત એ પણ છે કે, નોટિસ અંગેની કાયદાકીય મદદ ખેડૂતોને આમ આદમી પાર્ટી પુરી પાડી રહી છે. AAPના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. જોકે, હાલ તો નીતિન પટેલ સહિત ભાજપના 3 નેતાઓ સામે માનહાનિને લઈને નોટિસથી ચર્ચાઓએ જોર પકડ્યો છે. ખેડૂતો મુદ્દો એક કાર્યક્રમમાં નીતિન પટેલે ટિપ્પણી કરી હતી.