AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી નહીં થાય ટેકાના ભાવે ખરીદી ! કૃષિ વિભાગની લાલિયાવાડીનો ગુજકોમાસોલના ચેરમેને કર્યો પર્દાફાશ, જુઓ Video

ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી જણસીની ખરીદી આજથી નહીં થાય તેવો ચોંકાવનારો ખુલાસો ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કર્યો છે. તેમણે કૃષિ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, ટેકાના ભાવે ખરીદી માટે કૃષિ વિભાગે ગુજકોમાસોલને અધિકૃત રીતે જાણ કરી જ નથી

આજથી નહીં થાય ટેકાના ભાવે ખરીદી ! કૃષિ વિભાગની લાલિયાવાડીનો ગુજકોમાસોલના ચેરમેને કર્યો પર્દાફાશ, જુઓ Video
GUJCOMASOL
Ronak Varma
| Edited By: | Updated on: Nov 01, 2025 | 2:36 PM
Share

ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી જણસીની ખરીદી આજથી નહીં થાય તેવો ચોંકાવનારો ખુલાસો ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કર્યો છે. તેમણે કૃષિ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, ટેકાના ભાવે ખરીદી માટે કૃષિ વિભાગે ગુજકોમાસોલને અધિકૃત રીતે જાણ કરી જ નથી. 18મી ઓક્ટોબરે કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે ખરીદી અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે ગુજકોમાસોલને ખરીદ એજન્સી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ જાહેરાત મુજબ, પહેલી નવેમ્બરથી ખરીદી શરૂ થવાની હતી. જોકે, દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કૃષિ વિભાગે તેમને સત્તાવાર રીતે ટેકાના ભાવે ખરીદી અંગે કોઈ જાણકારી કે સૂચના આપી નથી.

દિલીપ સંઘાણીએ વધુમાં ઉમેર્યું કે, ગુજકોમાસોલ પાસે મોટું નેટવર્ક અને પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. જો સરકાર આજે રાત્રે પણ ખરીદી માટે સૂચના આપે, તો તેઓ એક જ દિવસમાં ખરીદી પ્રક્રિયા શરૂ કરી શકે છે. તેમ છતાં, જ્યાં સુધી સરકાર ગુજકોમાસોલને અધિકૃત રીતે ખરીદીની જવાબદારી સોંપે નહીં, ત્યાં સુધી ખરીદીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ સ્થિતિ કૃષિ વિભાગ અને ગુજકોમાસોલ વચ્ચે સંકલનના અભાવને દર્શાવે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આજથી નહીં થાય ટેકાના ભાવે ખરીદી !

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના નેતા હિતેન્દ્ર પટેલે સરકારનો બચાવ કરતા આ મામલે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે, હાલ કમોસમી વરસાદના કારણે મગફળીની ખરીદી કરી શકાય તેવી સ્થિતિ નથી. રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી માટે તમામ જરૂરી આયોજનો પૂર્ણ કરી લીધા હતા. જોકે, અણધાર્યા કમોસમી વરસાદને કારણે અને મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી જણસીની ખરીદી હાલ શક્ય નથી.

પટેલે ખરીદી પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ વિશે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે વહેલી ખરીદી કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે સામાન્ય સંજોગોમાં પહેલી ઓક્ટોબરથી શરૂ થતી ખરીદ નોંધણીને બદલે પહેલી સપ્ટેમ્બરથી જ નોંધણી પ્રક્રિયા શરૂ કરાવી હતી અને ઓક્ટોબર મહિનામાં તે પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ, કમનસીબે, આ વરસાદની સ્થિતિને કારણે પહેલી નવેમ્બરથી જે ખરીદી શરૂ કરવાની હતી, તે હાલની પરિસ્થિતિમાં શક્ય નથી. હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. આથી, ગુજકોમાસોલ દ્વારા સત્તાવાર સૂચનાના અભાવ અને સરકાર દ્વારા હવામાનની સ્થિતિના કારણે ખરીદી પ્રક્રિયામાં વિલંબ થયો છે, જે ખેડૂતોને સીધી અસર કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">