VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા, મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા આ વર્ષે નીકળશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવામાં આજે નેત્રોત્સવ વિધિ મંત્રોચાર સાથે કરાઈ. વર્ષોથી રથયાત્રાના આગલા દિવસે આ વિધિ યોજાતી હતી. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ વિધિ રથયાત્રાના બે દિવસ પહેલા મંત્રોચાર સાથે કરવામાં આવે છે. નેત્રોત્સવની વિધિને કેમ ખાસ માનવામાં આવે છે. આ પણ […]
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા આ વર્ષે નીકળશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેવામાં આજે નેત્રોત્સવ વિધિ મંત્રોચાર સાથે કરાઈ. વર્ષોથી રથયાત્રાના આગલા દિવસે આ વિધિ યોજાતી હતી. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ વિધિ રથયાત્રાના બે દિવસ પહેલા મંત્રોચાર સાથે કરવામાં આવે છે. નેત્રોત્સવની વિધિને કેમ ખાસ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ અમદાવાદની જગન્નાથ યાત્રામાં આવતા વર્ષથી એક નહીં પણ બે મામેરા પુરાશે!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેના ઈતિહાસ પર એક નજર કરીએ તો, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજી મોસાળમાં જાય છે. અને 15 દિવસ ત્યાં રોકય છે. જ્યાં મામાના ઘરે તેઓ મિષ્ટા અને જાંબુ આરોગે છે. જે બાદ ભગવાનને આંખો આવી જાય છે. તેથી તેમને મંદિરમાં પરત લાવવામાં આવે છે. અને આંખો પર પાટા બાંધવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવની વિધિ તરીકે ઓળખાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે અષાઢી બીજના દિવસે આંખોના પાટા ખોલવામાં આવે છે, જેની રાહ ભક્તો ભારે આતુરતા પૂર્વ જુએ છે. ભગવાનની પહેલી દ્રષ્ટી તેમની ઉપર પડે, તેવી પ્રાર્થના પણ ભક્તો આ દિવસે કરે છે. અને પ્રભુના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
[yop_poll id=”1″]