AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERTનો મોટો નિર્ણય ગુજરાત કોમી હિંસા સાથે જોડાયેલા વિષયને 12માં ધોરણનાં કોર્સમાંથી હટાવવામાં આવ્યો

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (National Council of Educational Research and Training) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, NCERTએ ધોરણ 12 ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબંધિત ટેક્સ્ટ સામગ્રીને હટાવી દીધી છે. અત્યાર સુધી આ ટેક્સ્ટ મટીરીયલ ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ (Political Science)વિષયના પુસ્તકમાં પેજ 187 થી 189 પર હતું. આ […]

NCERTનો મોટો નિર્ણય ગુજરાત કોમી હિંસા સાથે જોડાયેલા વિષયને 12માં ધોરણનાં કોર્સમાંથી હટાવવામાં આવ્યો
NCERT's big decision The subject related to Gujarat communal violence was removed from the 12th standard course
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 10:02 AM
Share

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (National Council of Educational Research and Training) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, NCERTએ ધોરણ 12 ના અભ્યાસક્રમમાંથી ગુજરાત રમખાણો સંબંધિત ટેક્સ્ટ સામગ્રીને હટાવી દીધી છે. અત્યાર સુધી આ ટેક્સ્ટ મટીરીયલ ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ (Political Science)વિષયના પુસ્તકમાં પેજ 187 થી 189 પર હતું. આ સંદર્ભમાં ગુરુવારે NCERT દ્વારા એક નોંધ જારી કરવામાં આવી છે. ગુજરાતના રમખાણોની સાથે સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

હકીકતમાં, NCERT એ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તક તર્કસંગત યોજના હેઠળ ધોરણ 12 ના અભ્યાસક્રમમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં ગુરુવારે NCERT દ્વારા એક નોંધ જારી કરવામાં આવી છે. જે મુજબ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલ CBSE ના 2022-23 શૈક્ષણિક અભ્યાસક્રમ હેઠળ પહેલાથી જ દૂર કરવામાં આવેલ સામગ્રી પણ અભ્યાસક્રમની બહાર રહેશે. 

અભ્યાસક્રમ સામગ્રીમાં શું હતું

ઇન્ડિયન એક્સપ્રેસે NCERT દ્વારા 12મા પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં કરાયેલા સુધારા અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે મુજબ લખાણ સામગ્રીના ગુજરાત રમખાણો દર્શાવે છે કે સરકારી તંત્ર પણ કોમી લાગણી પ્રત્યે સંવેદનશીલ બને છે. ગુજરાતની જેમ આ ઉદાહરણો આપણને રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવાના જોખમો વિશે ચેતવણી આપે છે અને લોકશાહી રાજકારણ માટે ખતરો છે તે અંગેનો ફકરો હટાવી દેવામાં આવ્યો છે.

અભ્યાસક્રમ સામગ્રીમાં શું હતું

આ સાથે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આ નિવેદનને પણ ટેક્સ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. “મુખ્યમંત્રી (ગુજરાતના)ને સંદેશ છે કે તેમણે ‘રાજ ધર્મ’નું પાલન કરવું જોઈએ. શાસકે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે તેની પ્રજા વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ. 

આ વિષય પણ દૂર કરવામાં આવ્યો છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, NCERTએ 12માના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી ગુજરાત રમખાણો તેમજ અન્ય વિષયોને હટાવવાનો નિર્ણય લીધો છે. જેમાં નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદાસ્પદ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં પેજ નંબર 105માં “નકસલવાદી ચળવળનો ઈતિહાસ” અને પેજ નંબર 113-117માં “ઇમરજન્સી દરમિયાન વિવાદ”નો સમાવેશ થાય છે. NCERTએ તેની નોંધમાં કહ્યું છે કે કોરોના રોગચાળાને જોતા વિદ્યાર્થીઓ પર વિષયનો ભાર ઓછો કરવો હિતાવહ છે. એ જ હેતુ માટે અપ્રસ્તુત વિષયો દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, NCERTએ કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ આના પર ભાર મૂકે છે. આ પૃષ્ઠભૂમિમાં, NCERT એ તમામ વર્ગો માટે પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાની કવાયત શરૂ કરી છે.

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">