Navsari : પાંજળાપોળને પશુ દીઠ રૂપિયા 4000 આપવાની સરકારની જાહેરાત, છતાં દાતાઓ પર નિર્ભર પાંજરાપોળ

Navsari : નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડીને પાંજળાપોળ ખાતે લાવવામા આવે છે, જ્યાં નગરપાલિકા એક પશુ દીઠ 1500 રૂપિયા ચુકવે છે.

Navsari : પાંજળાપોળને પશુ દીઠ રૂપિયા 4000 આપવાની સરકારની જાહેરાત, છતાં દાતાઓ પર નિર્ભર પાંજરાપોળ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 21, 2021 | 7:13 PM

Navsari : નવસારી જીલ્લામાં રખડતા ઢોરના ત્રાસને લઇ નગરપલિકા દ્વારા ઢોરોને પકડીને પાંજળાપોળ ખાતે રાખવામાં આવે છે. આ પાંજળાપોળની ક્ષમતા એક હજાર પશુઓની છે. નવસારી સહિત અન્ય વિસ્તારોમાંથી પણ આ જગ્યાએ પશુઓ આવે છે. સરકાર દ્વારા પશુ દીઠ 4000 રૂપિયા પાંજળાપોળને આપવાની જાહેરાત તો કરી છે પરંતુ મળ્યા નથી.

પશુઓની સેવા કરતી પાંજળાપોળ સંસ્થા દાતાઓના દાનથી ચાલતી આવે છે. જોકે કોરોના કાળમાં દાતાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડીને પાંજળાપોળ ખાતે લાવવામા આવે છે જ્યાં નગરપાલિકા એક પશુ દીઠ 1500 રૂપિયા ચુકવે છે.

સરકાર દ્વારા આ પાંજળાપોળને પશુ દીઠ રૂપિયા 4000 આપવાની જાહેરાત કરી છે પરંતુ હજી સુધી કોઈ રકમ મળી નથી. વહેલી તકે સરકાર દ્વરા જાહેર કરાયેલી સહાય પાંજળાપોળને મળે તો અન્ય દાતા કે નગરપાલિકા પર નિર્ભર રહેવું ન પડે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

ડો. એ.ડી દવે, પાંજળાપોળ સંચાલક જણાવે છે કે, ‘હાલમાં 1000 જેટલા પશુ છે. અહી અન્ય વિસ્તારોના પણ પશુ આવે છે. જેને ચોમાસા દરમ્યાન અમે 1200 થી વધુ પહોચાડીશું. સરકાર અને નગરપાલિકા તરફથી તો સહાય મળે છે પરંતુ અન્ય લોકો દ્વારા અનુદાન મળે તો હજુ પણ પશુઓની સંખ્યામાં વધારો કરી શકાય. સરકાર સહિત અન્ય બીજી સંસ્થાઓ દ્વારા સહાય કરવામાં આવે તો વધુ પશુઓની દેખરેખ થઈ શકે છે.’

દસરથસિંહ ગોહિલ (ચીફ ઓફિસર, નવસારી વિજલપોર નગરપાલિકા) TV9 સાથે વાત કરતાં જણાવે છે કે, ‘નગરપાલિકા દ્વારા પકડેલા ઢોરને પાંજળાપોળ ખાતે મોકલવામાં આવે છે. જેમાં મોટા ઢોરના 1500 અને નાના વાછરડાના 1000 રૂપિયા ચુકવવામાં આવે છે. સરકાર માટે પણ સહાય મળતી હોય છે અને પાંજળાપોળ આ પશુની સેવા કરતી હોય છે.’

અત્યાર સુધી દાતાઓ તેમજ અન્ય સહાયના લાભાર્થે આ પાંજળાપોળ ચાલતી હતી. નગરપાલિકા પણ રખડતા પકડેલા ઢોરને અહી રાખે છે અને કરાર આધારિત નિભાવ ખર્ચ ચુકવે છે. જેથી મર્યાદિત પ્રમાણમાં પશુઓ પકડી તેને અહી લવાય છે. સરકારમાંથી મળનાર સહાય વહેલી તકે મળે તો પાંજળાપોળની આ પશુઓની સંખ્યામાં વધારો કરી શકાય.

આ પણ વાંચો : પશુપાલકોને ચોમાસામાં પશુ આહાર અને ખાણદાણ સંબંધિત થતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">