Navsari : બિલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનો ફરી પ્રારંભ, સાંસદ સી.આર.પાટીલે ટ્રેનને લીલીઝંડી બતાવી

બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન સ્થાનિક લોકોનો વિરોધ, ધારાસભ્યોની રજૂઆતો અને રેલવે વિભાગની સલાહકાર સમિતિના હોદ્દેદારોની ઉગ્ર રજૂઆતોના પગલે ફરી શરૂ કરવામાં આવી છે.

Navsari : બિલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનો ફરી પ્રારંભ, સાંસદ સી.આર.પાટીલે ટ્રેનને લીલીઝંડી બતાવી
Navsari: Bilimora-Waghai narrow gauge train resumes, MP CR Patil shows green light to train (file)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 12:43 PM

રેલ્વે મુસાફરી એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો માટે સસ્તી મુસાફરી માનવામાં આવે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની ટ્રેનનો તો લોકો માટે લાઈફલાઈન બની ગઈ છે. નવસારી જિલ્લાના બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન બે વર્ષથી બંધ પડી હતી. આંદોલનો વિરોધ અને ઉગ્ર રજૂઆતોના પગલે ફરી શરૂ થઇ છે. નવા રૂપરંગમાં શરૂ થયેલી ટ્રેનને પગલે મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં ચાલતી મોટાભાગની નેરોગેજ ટ્રેનનો ખોટના કારણે બંધ કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લાની કોસંબાથી ચાલતી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અને નવસારીના બીલીમોરાથી ચાલતી વઘઇ સુધીની નેરોગેજ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. બંને ટ્રેનો લોકો માટે લાઈફલાઈન બની ગઈ હતી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારી મેળવવા માટે શહેરો સુધી પહોંચવા માટે મહત્વની બની ગઈ હતી. પરંતુ ખોટ કરતી હોવાના બહાના હેઠળ આ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી.

બીલીમોરાથી વઘઇ સુધી ચાલતી નેરોગેજ ટ્રેન સ્થાનિક લોકોનો વિરોધ, ધારાસભ્યોની રજૂઆતો અને રેલવે વિભાગની સલાહકાર સમિતિના હોદ્દેદારોની ઉગ્ર રજૂઆતોના પગલે ફરી શરૂ કરવામાં આવી છે. નવા રૂપરંગમાં શરૂ થયેલી ટ્રેનમાં એસી કોચ પણ લગાવવામાં આવ્યા છે. અને બીલીમોરાથી લઈને વધઇ સુધીના કુદરતી દ્રશ્યો નિહાળી શકાય એના માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લીલીઝંડી બતાવીને ટ્રેનની શરૂઆત કરાવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વર્ષોથી ચાલતી બીલીમોરા વઘઈ ટ્રેનમાં લોકો ડાંગ જિલ્લાના વઘઈથી નવસારીના બીલીમોરામાં સુધી માત્ર પંદર રૂપિયા જેટલી નાની રકમ રોજગારી માટે પહોંચતા હતા. પરંતુ શરૂ થયેલી ટ્રેન નવા રૂપરંગમાં તો આવી છે. પરંતુ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સાદી મુસાફરી 15 રૂપિયાની ટિકિટ ના બદલે 40 રૂપિયા કરવામાં આવી છે.

જ્યારે એસી કોચના 560 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જે ભાવ વધારો સ્થાનિક લોકો માટે મોંઘો હોવાનો પણ રાગ લોકો આપી રહ્યા છે. બંધ પડેલી ટ્રેનને ફરી શરૂ કરાતા સાંસદ સી.આર.પાટીલ લીલી ઝંડી આપી છે અને ટ્રેનને હજુ પણ આગળ લંબાવવા માટે અને લોકોને વધુ સુવિધાઓ મળે તેઓ આશાવાદ વ્યક્ત કરી મુસાફરોને વધુ સુવિધાઓ આપવા માટે તાકીદ કરી છે.

સુરતના સાંસદ અને રેલવે વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશના આવ્યા પછી વધુ ટ્રેનો ગુજરાતમાં શરૂ કરવા માટેની માંગ શરૂ થઈ છે. જેમાં બીલીમોરાથી વઘઇ નેરોગેજ ટ્રેનને નાસિક સુધી લંબાવવા માટેની પણ કામગીરી શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી છે. સાથે રાજધાની જેવી સુપરફાસ્ટ ટ્રેનને ગાંધીનગર વાયા કરીને મોકલવા માટેની પણ રજૂઆતો કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોને જોડતી ટ્રેનોના વધેલા ભાડા જો ઓછા કરવામાં આવે તો હજુ ગ્રામ્ય વિસ્તારના લોકોને મુસાફરી કરવામાં સરળતા રહે એવી શક્યતાઓ રહેલી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">