Navsari: દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાઈ પાણીનું સ્તર વધતા રહીશો ચિંતામાં, સરકાર તેમના રહેઠાણો, ખેતરોને બચાવવા યોગ્ય પગલા લે તેવી માગ

દેશના 6,907 કિમી દરિયાકાંઠા વિસ્તારનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં 27 ટકા દરિયાકાંઠાના વિસ્તારોમાં જળ સ્તરોમાં વધારો થતો હોવાનું નોંધાયુ છે. આગામી સમયમાં આ બાબત ચિંતાનો વિષય થશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

Navsari: દરિયાકાંઠા વિસ્તારોમાં દરિયાઈ પાણીનું સ્તર વધતા રહીશો ચિંતામાં, સરકાર તેમના રહેઠાણો, ખેતરોને બચાવવા યોગ્ય પગલા લે તેવી માગ
Navsari Sea Coast (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:56 AM

દેશ અને દુનિયા માટે ગ્લોબલ વોર્મિંગ (Global warming) એ મોટો પ્રશ્ન બની ગયો છે. જેમાં દરિયામાં (Sea) આવતી ભરતીના કારણે કિનારો ધોવાઈ રહ્યો છે. ગામોનું ધોવાણ અટકાવવા માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અજમાવી રહી છે, પરંતુ આ યોજનાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. નવસારી (Navsari) જિલ્લાનો દરિયાકિનારો લાખો લોકોને રોજગારી પૂરી પડે છે. પરંતુ દરિયાઈ ધોવાણને કારણે આ તમામ લોકોનું જીવન જોખમમાં મુકાયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવે આગામી સમયમાં દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને દરિયાઈ ધોવાણને કારણે મુશ્કેલી ન પડે તે માટે સરકાર પગલા લે તેવી માગ ઉઠી છે.

સમગ્ર ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયાકિનારાને ગ્લોબલ વોર્મિંગનો માર પડતા પાણીના સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લગભગ 539 કિલોમીટરના વિસ્તારમાં દરિયાઈ પાણી ઘુસી આવતા દરિયાની આસપાસની ખેતી લાયક જમીનો પણ ખારી બનતા બીન ઉપજાઉ બને છે. દિવસેને દિવસે દરિયાનું જળ સ્તર આગળ વધતા કિનારાની આસપાસ વસવાટ કરતી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ રહી છે . મહત્વનું છે કે સમગ્ર ભારતમાં ગુજરાતમાં આ ધોવાણની સૌથી વધુ અસર જોવા મળતા આગામી સમયમાં સ્થાનિકોએ બેઘર થવાનો પણ વારો આવી શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દેશના 6,907 કિમી દરિયાકાંઠા વિસ્તારનું વિશ્લેષણ કરતા ગુજરાતમાં 27 ટકા દરિયાકાંઠાના વિસ્તારોમાં જળ સ્તરોમાં વધારો થતો હોવાનું નોંધાયુ છે. આગામી સમયમાં આ બાબત ચિંતાનો વિષય થશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. બીજી તરફ દરિયાકિનારે વસતા લોકો બેઘર નહીં થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અલાયદી નીતિ બનાવવા નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. જોકે હવે આ દરિયાકિનારાના રહેઠાણોને બચાવવા અને દરિયાને આગળ વધતો અટકાવવા પ્રોટેક્શન વોલ અંગે સરકાર ધ્યાન આપે તેવી લોક માગ ઉઠી છે.

નવસારી જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર દરિયાથી ઘેરાયેલો છે. આગામી સમયમાં દરિયાઈ ધોવાણથી ખેડૂતો કે રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે અત્યારથી સરકાર જરૂરી પગલા લે તેવી લોકો માગ કરી રહ્યા છે. હાલ તો જીલ્લાનો 52 કિલોમીટરનો દરિયાકિનારો સુરક્ષિત કરવા માટે તંત્ર જાગે તેવો રાગ લોકો આલાપી રહ્યા છે.

આ પણ વાંચો-શિક્ષણ મુદ્દે રાજકારણ ગરમાયું, આમ આદમી પાર્ટીએ ગુજરાતની સરકારી સ્કૂલોની પોલ ખોલી તો ભાજપે દિલ્હીની સ્થિતિ બતાવી

આ પણ વાંચો-આદિવાસી સમુહના ‘રોબીન હુડ’ છોટુ વસાવાની રાજનીતિ હવે ‘આપ’ શરણે, ભાજપ-કોંગ્રેસ સામે ટકી રહેવા ‘આપ’ જ હવે બાપ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">