AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી : પાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું, પરંતુ કામ હજુ શરૂ થઇ શક્યું નથી

સૂકો - ભીનો કચરો (Waste) અલગ કરીને ખાતર બનાવવાની વાત પાલિકા (Municipality) કરી રહી હતી. પરંતુ તેમની વાતો પણ ખાતરમાં જ હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે.

નવસારી :  પાલિકા દ્વારા કચરામાંથી ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ સોંપાયું, પરંતુ કામ હજુ શરૂ થઇ શક્યું નથી
The work of making compost from waste by Navsari Municipality has not started yet (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:35 PM
Share

નવસારી (Navasari) શહેરમાંથી નીકળતા ભીના કચરામાંથી (Waste) પાલિકા (Municipality) ઓર્ગેનિક ખાતર  (Organic Compost)બનાવવાની કામગીરી કરવાની વાતો કરી રહી છે. પરંતુ ખાતર બનાવવા માટે ખાનગી એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું છે. પરંતુ ખાતર બનાવવાનું કામ હજુ શરૂ થઇ શક્યું નથી. કામોની શરૂઆત કરી અડધું મૂકવું એ પહેલેથી પાલિકાની ફિતરત ધરાવતું પાલિકા દ્વારા પાંચ વર્ષ પહેલા 40 લાખ રૂપિયા જેટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ વિચારધારા યોગ્ય કામગીરી કરવામાં આવી નહોતી.

નવસારી જિલ્લામાં હાલ પણ બે વર્ષથી કચરામાંથી ખાતર બનાવવાનો કોન્ટ્રાક્ટ (Contract)આપવામાં આવ્યો છે. પહેલા નવસારીનો કચરો વિજલપોર (Vijalpor)ખાતે ઠાલવવામાં આવતો હતો. પરંતુ કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેક્ટના નામે આ જગ્યા અન્ય સ્થળે ખસેડવામાં આવી. પરંતુ યોગ્ય કામગીરી થઇ શકી નથી અને પાલિકા ઓર્ગેનિક ખાતર બનાવી શકી નથી. સોલીડ વેસ્ટના નિકાલની કામગીરીમાં પાલિકા પાછળ પડી છે. પાલિકાનું કચરા નિકાલનું કામ પણ કચરા જેવુ હોવાનું શહેરી જનોએ જણાવ્યું છે. જેને પગલે પાલિકા ની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

સૂકો – ભીનો કચરો અલગ કરીને ખાતર બનાવવાની વાત પાલિકા કરી રહી હતી. પરંતુ તેમની વાતો પણ ખાતરમાં જ હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થયું છે. પાલિકાના શાસકો હજી પણ બે વર્ષ થયા છતાં પ્લાન ઇન્સ્ટોલ જ કરી રહ્યા હોવાની વાતો કરી રહી છે. પાલિકા પાસે રહેલો બે લાખ મેટ્રિક ટનથી વધુ કચરો હતો જેનો નિકાલ કરી દેવાયો છે. પરંતુ હજી ઇન્સ્ટોલ થઈ રહેલ પ્લાન કેટલા સમયમાં પૂર્ણ થાય તે હવે જોવું રહ્યું.

તમામ વાતોમાં ખો આપતી પાલિકા કચરા જેવી નજીવી વાતના નિકાલમાં પણ લોકોને ખો આપી પોતાને મળતી આવકમાંથી પણ હાથ ધોઈ બેઠી છે. જો પાલિકા આ કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી રેગ્યુલર કરે તો ખેડૂતોને પણ આમાંથી મોટી સહાયતા થઈ શકે.

આ પણ વાંચો :જામનગર : જોડીયામાં એક ટ્ર્સ્ટ દ્વારા બહારગામથી બોર્ડની પરિક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઇ

આ પણ વાંચો :CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">