નવસારીમાં નલ સે જલ યોજનામાં બોગસ બિલ મુકી 9 કરોડથી વધુનું આચરાયુ કૌભાંડ, મંત્રી મુકેશ પટેલે વ્યક્ત કરી આશંકા, અન્ય વિભાગોમાં પણ ફેલાયેલુ છે કૌભાંડ

નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં બોગસ બિલ મુકી 9 કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી છે. આ મુદ્દે કાર્યપાલક ઈજનેર સહિત 14 લોતો સામે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાથી 5 અધિકારી અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2024 | 5:47 PM

લોકોને શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર મસમોટા ખર્ચા કરે છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ કેવી રીતે યોજનાનો સત્યાનાશ કરી નાખતા હોય છે તેનો નમૂનો નવસારી જિલ્લામાં સામે આવ્યો. જ્યાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ઇજારદારોએ મળીને કરોડોનું કૌભાંડ આચર્યું. સરકારી સિસ્ટમમાં કેટલી હદે લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર ચાલે છે તેનુ આ સૌથી તાજુ ઉદાહરણ છે. નવસારીમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ઇજારદારો મળીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.

બોગસ બિલ બનાવી 9 કરોડથી વધુની કરી ઉચાપત

આખા જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકીને 9 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. ઉદાહરણ એક ગામનું લઈએ તો ગણદેવી તાલુકાના ગડત ગામના કુંભાર ફળિયમાં 6 લાખ રૂપિયા જેટલું મોટું કામ મંજૂર થયું હતું.પરંતુ tv9ની ટીમે જ્યારે ગામની મુલાકાત લીધી ત્યારે. ગામમાં માત્ર પાણીની ટાંકી હતી, ટાંકીનું પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું નહતું.

5 અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના બંદર રોડ વિસ્તારમાં રહેતા શાહ પરિવારના ચાર લોકો કૌભાંડમાં સપડાયા છે. જ્યોતિષ સ્વીચ બોર્ડ નામની એજન્સી બનાવી અધિકારીઓ સાથે મેળાપીપણામાં કામો ન કરીને બિલો મૂકી 1 કરોડ 25 લાખ ઉપાડી લેવાની ઠગાઈની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાણી કોભાંડી પરિવારના એક જ પરિવારના પિતા પુત્ર અને સાસુ વહુ પોલીસના સકંજામાં આવી ગયા છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

CID ક્રાઈમે 10 લોકોની કરી ધરપકડ

9 કરોડના આ કૌભાંડમાં પાંચ કરોડનું પાણી પુરવઠા કૌભાંડમાં અધિકારીઓ અને કામ કરનાર એજન્સીઓ પોલીસના સકંજામાં આવી ગઈ છે CID ક્રાઇમએ દસ લોકોની ધરપકડ કરી છે. નવસારી અને બીલીમોરા પાણી પુરવઠા ઓફિસમાં આચરવામાં આવેલા પાંચ કરોડના કૌભાંડમાં વિજિલન્સ તપાસ બાદ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બીલીમોરા ઓફિસના ક્લાર્ક અને કર્મચારીઓએ કૌભાંડમાં મદદગારી કરી હોવાનું ખૂલ્યું છે.બીલીમોરાની બેન્કમાં ડિપોઝિટ પેટે મૂકવામાં આવતા રૂપિયા વટાવી લેવા માટે સરકારની મંજૂરી લીધા વગર એજન્સીઓને રૂપિયા પરત આપી દેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

આખાય કૌભાંડમાં હજી પણ અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે. હાલ CID ક્રાઈમ તપાસ કરી રહી છે ત્યારે જોવું રહ્યુ કે આવનારા દિવસોમાં તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને શું કોઈ ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ

Input Credit- Nilesh Gamit- Navsari

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">