ભરૂચના 9 પૈકી 7 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, નદીના પૂર અને સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લહેર
ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી જતા નદી – નાળાં છલકાયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો […]
ભરૂચમાં ચાલુવર્ષે મેઘમહેર ખુબ સારી થવાથી ધરતીના તાત સહીત ભરૂચવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે. જિલ્લાના ૯ પૈકી ૭ તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી જતા નદી – નાળાં છલકાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભરૂચ જિલ્લાનું ઔદ્યોગિક દ્રષ્ટિએ વિશ્વના ફલક પર મહત્વનું સ્થાન અંકિત હોવા છતાં નર્મદા તટે વસેલા ભૃગુકચ્છમાં ખેતી એક મહત્વનો વ્યવસાય છે. ગતવર્ષે ઓછા પડેલા વરસાદના કારણે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં ઓછા પાણીની સમસ્યાના કારણે ડાઉન સ્ટ્રિમમાં નર્મદાના સુકાઈ જવા સહિતની સમસ્યાઓ સર્જાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સમુદ્રના પાણી નદીને ધકેલી ૪૦ કિમિ સુધી ઘુસી આવતા ખારાશ ફેલાઈ હતી પરંતુ ચાલુવર્ષે મેઘરાજા ભૃગુઋષિની આ પવન ભૂમિ ઉપર મનમુકીને વરસ્યા છે. ભરૂચમાં જંબુસર અને ઝગડિયાને બાદ કરતા અન્ય સાતેય તાલુકાઓમાં સીઝનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
તાલુકા સિઝનનો વરસાદ ટકામાં
ભરૂચ ૧૨૭ આમોદ ૧૪૬ અંકલેશ્વર ૧૨૭ હાંસોટ ૧૬૨ નેત્રંગ ૧૫૩ વાગરા ૧૧૩ વાલિયા ૧૫૯ જંબુસર ૮૬ ઝગડીયા ૬૪
ભરૂચમાં ભૂગર્ભ જળ ખરા થવાની મોટી સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા ૫ વર્ષમાં નર્મદા નદી કાંઠાથી લઇ અંતરિયાળ વિસ્તારમાં ૨૦૦૦ થી ૩૦૦૦ ટીડીએસવાળું અને ખરું પાણી બોરમાંથી મળતું હતું પરંતુ વરસાદ અને નદીના પૂરે ભૂગર્ભ જળની ગુણવત્તા અને સ્તર બંને ઊંચા લાવી દીધા છે. દેવાંગભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે તેમના બોરમાં પાણીના તલ ઊંડા ઉતર્યા હતા જે ફરી ઊંચા આવવા સાથે મીઠા થતા પીવાના પાણીની મોટી સમસ્યા હલ થઈ છે.
[yop_poll id=”1″]
ભરૂચના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેતી નિષ્ણાંત નિર્મળસિંહ યાદવએ પરિસ્થિતિ બાબતે જણાવ્યું કે શેરડી અને કેળના પાકને વરસાદે ખુબ લાભ કરાવ્યો છે. સાથે નર્મદામાં પૂરની સ્થિતિ અને ભારે વરસાદના કારણે જમીનમાંથી ખારાશ નાબૂદ થઇ છે. જેની હકારાત્મક અસર ખેડૂતો આગામી બે થી ત્રણ વર્ષ સુધી અનુભવશે જોકે ભારે વરસાદથી તુવેર અને કપાસના પાકને નુકશાન પણ પહોંચ્યું છે.
અંકલેશ્વરના ખેડૂત ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે સારા વરસાદથી શિયાળુ પાકને લાભ થશે દિવેલા, ચણા અને ઘઉં જેવા પાકની ખેડૂતોને સારી ઉપજ મળશે.