મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ

આજે રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાશે.

મોરબીની દુર્ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ
Morbi Tragedy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 7:16 AM

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાશે. અમદાવાદના ટાગોર હોલમાં દિવંગત આત્માઓ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગોઝારો પુલ 135 જીંદગીને ભરખી ગયો !

રાજકીય લોકોથી લઈને સામાન્ય નાગરીકોમાં પણ મોરબીની ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ છે. ઝુલતા પુલ તુટવાની ઘટનાના ત્રણ દિવસ બાદ હજુ પણ દુર્ઘટનાસ્થળે બે લોકોના મૃતદેહોની શોધખોળ ચાલુ છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં  135 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી ખુદ પીએમ પણ ખુબ જ વ્યથિત હતા અને ગઇકાલે PM મોદીએ પણ મોરબીમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સાથે જ દુર્ઘટનાગ્રસ્ત લોકોના ખબર અંતર પુછ્યા હતા. અને સ્થાનિક તંત્રને બનતી તમામ મદદ કરવા સુચનો આપ્યા હતા.

જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા PM મોદીની સૂચના

PM મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે PM મોદીએ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે. PM મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો કર્યા છે. આ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યું કામગીરીથી PM મોદી સંતોષ હોવાનું પણ પાટીલે જણાવ્યું છે.

અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?

અદાલતે ચાર આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાતના મોરબી દુર્ઘટના કેસમાં ધરપકડ કરાયેલ ઓરેવા ગ્રુપના બે મેનેજર સહિત ચાર આરોપીઓના અદાલતે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. ગોઝારા પુલે અનેક પરિવારોનો માળો વિંખી નાખ્યો છે. ત્યારે હાલ આ દુર્ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.

જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">